March 26th 2022
. માનવદેહ મળે
તાઃ૨૬/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે અનેકદેહથી આગમન થાય
પવિત્રકૃપા પરમાત્માની થાય,એ જીવને માનવદેહથી જન્મ મળી જાય
.....જગતમાં માનવદેહને કર્મનો સંબંધ,જે પ્રભુકૃપાએ સમય સાથે લઈ જાય.
જીવને અનેકદેહથી અવનીપરનુ આગમન છે,માનવદેહ એકૃપા કહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅનેપક્ષી કહેવાય,ના જીવન સમજાય
માનવદેહપર પરમાત્માની કૃપા કહેવાય,જે સમયસાથે દેહને લઈ જાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,પ્રભુકૃપાએ સમજીનેજ જીવાય
.....જગતમાં માનવદેહને કર્મનો સંબંધ,જે પ્રભુકૃપાએ સમય સાથે લઈ જાય.
માનવદેહને ભગવાનની કૃપાએ સમજણ મળે,એ શ્રધ્ધાથી ભક્તિ કરાય
પવિત્રકૃપા મળે દેહને જે ઘરમાં,ધુપદીપકરી આરતી કરીને વંદન કરાય
પરમાત્માની કૃપાએ જીવનમાં નાકોઇ અપેક્ષારહે,એપવિત્રજીવન જીવાય
મળેલદેહને કર્મનો સંબંધ મળે,જેપ્રભુકૃપાએ સત્કર્મનો સંગાથ મળીજાય
.....જગતમાં માનવદેહને કર્મનો સંબંધ,જે પ્રભુકૃપાએ સમય સાથે લઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++