July 28th 2011

મમતાની કસોટી

.                  મમતાની કસોટી

તાઃ૨૮/૭/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

વ્હાલની નદીના નિર્મળ પાણી,જ્યાં સચવાય છે જીભની વાણી
મમતાને નાપારખ કોઇથી,એતો માતાના પ્રેમથી મળતાં જાણી
.                          ………….વ્હાલની નદીના નિર્મળ પાણી.
મળેલ માનવ જીવન સાર્થક કરવા,અવનીએ સૌ પ્રેમ મેળવતા
માન અપમાનની નાકોઇ માયા,જીવનમાં ના કદી પડે એ છાયા
ઉજવળજીવન મળે માનાઆશિર્વાદે,નામાયામોહને ઉભરો આવે
સાચીરાહ દેહને મળતાં જગતમાં,જીવ જન્મથી સદા મુક્તિ પામે
.                             …………વ્હાલની નદીના નિર્મળ પાણી.
સદવિચારની એ રાહ મળે ત્યાં,જ્યાં ભક્તિ ને મમતા સંગે રહે છે
મળતી દેખાવનીમાયા ભાગીજાતાં,નિર્મળપ્રેમની જ્યોત મળે છે
કરુણા કૃપાની અજબ છે હેલી,દઈ દે એ જીવનમાં સુવાસ  મધુરી
મળે માતાનો પ્રેમ હ્ર્દયથી,પરમાત્મા પ્રેમે મળે મુક્તિ જીવનથી
.                           ……………વ્હાલની નદીના નિર્મળ પાણી.

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

July 28th 2011

લાગણી

.                        લાગણી

તાઃ૨૮/૭/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદર કામની કેડી ન્યારી,મળતાં ધન્યજીવન થઈ જાય
લાગણીમાયા બાંધીરાખતાં,આ જીવનમુક્તિએ મહેંકાય
.                            ………….કદર કામની કેડી ન્યારી.
મનની મતિને સમજી લેતાં,તેનીગતિ ત્યાં અટકી જાય
નિર્મળતા એતો સાચી છે મુડી,જે સમયેજ પરખાઇ જાય
મળે લાગણીઆજગે દેખાવની,જે ઘડીકમાં પકડાઇ જાય
મોકળી રાખતાં જીવથી દેહે,શીતળ સવારસાંજ થઇજાય
.                             …………કદર કામની કેડી ન્યારી.
બંધ આંખે આંસુ લુછવા,નાકોઇથી હાથ કદી લાંબો થાય
નાતાકાત કોઇ જીવનેજગે,કે તે આંખમાં ડોકીયુ કરીજાય
ખુલી આંખના તો  ખેલ અનોખા,જે દુરથી જ દેખાઇ જાય
લાગણીપ્રેમ એ અંતરના,જે સાચી ભાવનાએ મળી જાય
.                             …………  કદર કામની કેડી ન્યારી.

+++++++++++++++++++++++++++++++++++

July 28th 2011

ડગલાંની દોર

.                 ડગલાંની દોર

તાઃ૨૮/૭/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગણી કદીના મનથી કરવી,એ કર્મના બંધને મેળવાય
જીવની જ્યોત પ્રગટે છે ત્યાં,જ્યાં મુક્તિ માર્ગ મળી જાય
.                     ………..માગણી કદીના મનથી કરવી.
કદમ ભરે જ્યાં બાળક ઘરમાં,ત્યાંથી ચાલતા શીખી જાય
આંગળીપકડી માતાની જ્યાં,ત્યાં દેહે સભાનતા મેળવાય
માનવદેહની સમજ અનોખી,જે તેના ડગલાથી જ દેખાય
એક એક ડગલું સાચવતાં,જીવનમાં સરળ રાહ મળી જાય
.                      ………. માગણી કદીના મનથી કરવી.
જુવાનીના જોશને સાચવી,જીવથી  ભક્તિભાવ સચવાય
નાજુક દેહને કેડી મળતાં,જીવનો આજન્મ સફળ થઈજાય
ભણતરની સીડીને જોતાં,ત્યાં મહેનતનો સંગ લેવાઇ જાય
મળે દેહને લાયકાત જીવનમાં,જે જીવન સાર્થક કરી જાય
.                      ………..માગણી કદીના મનથી કરવી.

===============================

July 28th 2011

કરતારની કલમ

.                   કરતારની કલમ

તાઃ૨૮/૭/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભાગ્ય માગે નામળતુ આ દેહે, એતો જીવની છે ઘટમાળ
ઉજ્વળ જીવન મળે ભક્તિએ,જે કરતારની કલમે લખાય
.                       ………..ભાગ્ય માગે ના મળતુ આ દેહે.
માયામોહ ને આશા નિરાશા,એતો અવની પરના છે દ્વાર
વળગે  છુટે એ દેહને અવનીએ,ના  કોઇનાથીય  છટકાય
નિર્મળરાહની જ્યોતજલે ત્યાં,જ્યાં સંત જલાસાંઇ ભજાય
પ્રભુભક્તિની આ છે અનોખીચાવી,જે પ્રભુ કૃપા દઈ જાય
.                      …………ભાગ્ય માગે ના મળતુ આ દેહે.
સરળ માર્ગની માગણી સૌની,જ્યાં જીવને દેહ મળી જાય
શીતળતાનો  સહવાસ મળે,જે સાચી ભક્તિ એ લઈ જાય
કર્મના બંધન મળે કલમથી,જ્યાં દેહથી લેણદેણ સહેવાય
મુક્તિદ્વારની ખુલે ત્યાં સાંકળ,જ્યાં નિર્મળભક્તિ થઈજાય
.                      …………ભાગ્ય માગે ના મળતુ આ દેહે.

{{{{{{{{{{{{{{{{{{{{}}}}}}}}}}}}}}}}}}}

July 28th 2011

ભોળાનાથ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                   ભોળાનાથ

તાઃ૨૮/૭/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરુણાના એ સાગર  છે,ને ભક્તોના વ્હાલા ભગવાન
મુક્તિમાર્ગની  રાહબતાવી,ઉજ્વળ કરે આ અવતાર
એવા વ્હાલા છે ભોળાનાથ,એ છે જગતપિતા સમાન
.                              …………કરુણાના એ સાગર  છે.
ગજાનંદના વ્હાલાપિતાજી,ને મા પાર્વતીના ભરથાર
સુખદુઃખના એતો છે સંગાથી,ૐ નમઃશિવાય બોલાય
પુકાર સાંભળી સાચા ભક્તોનો,રાતદીવસ ભુલી જાય
કૃપા કરે જ્યાં મહાદેવ જગતે,સૌને શાંન્તિ મળી જાય
.                               ………….કરુણાના એ સાગર  છે.
સાંઇ બાબાની જ્યોત પ્રક્ટાવી,અલા ઇશ્વર એક દીધા
ભક્તિ પ્રેમને સમજવા કાજે,શ્રધ્ધા સબુરી જગે લીધા
જન્મ મરણની નાછે કોઇ છાયા,આવી અવનીએ રહ્યા
ભક્તોને સાચીરાહચીંધીને,પૃથ્વી પરથી વિલીનથયા
.                               ………….કરુણાના એ સાગર  છે.

**********************************

July 27th 2011

માટીની પરખ

.                      માટીની પરખ

તાઃ૨૭/૭/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનો સંબંધ છે દેહથી,જે જન્મે માટીથીજ  પરખાય
માતાના દુધની એ સુવાસ,તેના વર્તનથી ઓળખાય
.                         ………….જીવનો સંબંધ છે દેહથી.
અવનીની આ વિશાળભુમી,પણ પવિત્ર થોડી કહેવાય
પાવનકર્મની કેડી દેવા,પરમાત્મા જ્યાં અવતરી જાય
ભારત એવી કર્મભુમી છે,જ્યાં શ્રીરામકૃષ્ણ જન્મી જાય
ભક્તિભાવની રાહ બતાવીને,આ જન્મ સફળ કરી જાય
.                      …………જીવનો સંબંધ છે દેહથી.
હાય બાયની ટૂકી લાગણી,અહીં આવી ને જ સમજાય
મળતાં ઉભરે પ્રેમ દેખાવનો,જે જતાં જ વિસરાઇ જાય
મારુ તારુ ત્યાં અટકીજ રહે,જ્યાં સુધી દેખાવ ટકી જાય
સહજતાં જે રહે જન્મ સંગે,અહીં આવીને વિસરાઇ જાય
.                        ………..જીવનો સંબંધ છે દેહથી.

———————————————-

July 27th 2011

વૈકુન્ઠનો વાસ

.                       વૈકુન્ઠનો વાસ

તાઃ૨૭/૭/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમની જ્યોત જલે,ને હૈયામાં અતિઆનંદ થાય
માયામોહની ના કોઇ ચિંતા,જ્યાંમળી જાય વૈકુન્ઠી વાસ
.                     …………..નિર્મળ પ્રેમની જ્યોત જલે.
કૃપા મળે કરતારની જીવને,જ્યાં ભક્તિ પ્રેમનો છે સંગાથ
આરતી અર્ચન પુંજનકરતાં,જીવને મળે છે જગત નાનાથ
કર્મ બંધનની છે જગમાં કેડી,ના કોઇ જીવથીય એ છોડાય
મુક્તિમાર્ગની  સરળછે ચાવી,જે  ભક્તિનાદ્વાર ખોલી જાય
.                         …………નિર્મળ પ્રેમની જ્યોત જલે.
સ્વર્ગની સાચી કેડી મળે,જગતપર જ્યાં સત્કર્મો સહેવાય
દેહને મળતી કૃપા પ્રભુની,જ્યાં સાચા સંતોને વંદન થાય
નિર્મળ ભાવનાનો સંગ રાખતાં,જીવ પર પ્રભુ દ્રષ્ટિ થાય
મળી જાય વૈકુન્ઠનો વાસ જીવને,નેજન્મમરણ ટળી જાય
.                           ………….નિર્મળ પ્રેમની જ્યોત જલે.

==================================

July 26th 2011

ભક્તિ આનંદ

                          ભક્તિ આનંદ                  

ત્તઃ૨૬/૭/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાંન્તિ શાંન્તિ શોધવા જગમાં, માનવ દેહ ભટકતો થઇ જાય
જલાસાંઇની  ભક્તિ રાહે, જીવને ભક્તિનો આનંદ મળી જાય
                                  …………શાંન્તિ શાંન્તિ શોધવા જગમાં.
ગજાનંદને ફુલ અર્પતાં,પિતા ભોલેનાથ ને માપાર્વતી હરખાય
પુંજન અર્ચન પ્રેમથી કરતાં,જીવે ઘરમાં ભક્તિપ્રેમ મળી જાય
શ્રી ગણેશાય  નમઃ નું ઉચ્ચારણ,પવિત્ર વાતાવરણ કરી જાય
ગૌરીનંદનનો પ્રેમ પામતાં દેહે,જીવનો જન્મ સફળ થઈ જાય
                               ………….  શાંન્તિ શાંન્તિ શોધવા જગમાં.
મુક્તિમાર્ગને પારખી લેતાં,દેહનુ વર્તન જગતે બદલાઇ જાય
પળપળ સાચવી લેતાં ગજાનંદ,એ જીવનો ઉધ્ધાર કરી જાય
ભાગે માયામોહ કળીયુગના,હંમેશાં જગતમાંદેહ લબદાઇ જાય
ભક્તિનો આનંદ અનેરો જગતમાં,ના કોઇથીય એ સમજાવાય
                                 …………..શાંન્તિ શાંન્તિ શોધવા જગમાં.

+++++++++++++++++++++++++++++++++++

July 26th 2011

વિઝા

.                         વિઝા

તઃ૨૬/૭/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના અરજી કે ના કોઇ લાઇન,અને દેહને લાવશે જલ્દી જી
કુદરતની ન્યા યીકચેરીએ,જન્મ મરણના વિઝા મળશે ફ્રી
.                        …………ના અરજી કે ના કોઇ લાઇન.
મળશે લાયકાત જીવને પ્રભુથી,જે જન્મ થકી જ દેખાય
કર્મના બંધન છટકે ત્યાંથી,જ્યાં ભક્તિએ જીવ સહવાય
દેહ મળે અવનીએ ગતીથી,સંસારી સાગર તરી જવાય
બંધન એવા કર્મે બાધ્યા જગે,એ ભક્તિ માર્ગે સમજાય
.                        …………ના અરજી કે ના કોઇ લાઇન.
ના મંજુરી મેળવી પડે,કે ના કોઇ સહી સિક્કાય જોવાય
વિશાળ ધરતીના ભાગો પર,માનવી જીવન ફરતું થાય
કર્મના નિર્મળસંબંધ અવનીના,જીવને વિઝા મળી જાય
સત્કર્મોની સીડીએ ચઢતાં,મુક્તિવિઝા જીવને મળી જાય
.                         …………ના અરજી કે ના કોઇ લાઇન.

================================

July 25th 2011

વેરઝેરના વાદળ

                     વેરઝેરના વાદળ

તાઃ૨૫/૭/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ તારું છે ને આ મારુ છેં,એ માનવ મનની ચાહત એક
સમજણનો સંગાથ માબાપથી,જીવન ઉજ્વળ કરી દે છેક
                              ………….આ તારું છે ને આ મારુ છેં.
ઉજ્વળ આવતીકાલ દેહે મળે,જ્યાં સદીઓ ભુસાઇ જાય
અતિની ચાહત છોડી દેતાં,વેરઝેરના વાદળ ચાલી જાય
સમજણ એ સફળતા પણલાવે,ના માટી મોહ મળી જાય
સહવાસ સૌનો સાથે રહેતાં,માનવજન્મ સાર્થક થઈજાય
                              ………….આ તારું છે ને આ મારુ છેં.
શીતળ સવાર મળે દેહને,ત્યાં સંધ્યાકાલ પાવન દેખાય
ઉજ્વળતાના વાદળ ઘેરા,દેહને સુખ શાંન્તિય દઈ જાય
સ્નેહાળપ્રેમ માબાપનો લેતાં,સંતાનનું ભાવીસુધરી જાય
એક પવનની મીઠી  લહેરે,દુઃખના વાદળ દુર થઈ જાય
                             ………….આ તારું છે ને આ મારુ છેં.

[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[

« Previous PageNext Page »