June 20th 2012

માયાની કાયા

.                  માયાની કાયા

તાઃ૨૦/૬/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી માયાએ સડતી કાયા,જીવને અહીં જકડી જાય
કર્મની કેડીની આંટીઘુટી,મનને અધોગતીએલઈ જાય
.              …………………મળતી માયાએ સડતી કાયા.
મળેલદેહ જકડે છે જીવને,જે જન્મ મળતાં જ સમજાય
કાયાનીરામાયણ જગમાં,અહીંતહીં જીવનેલઈભટકાય
મિથ્યાની જ્યાં સમજણ મળે,ત્યાં જીવ ભક્તિએ દોરાય
સરળતાનો  સાથ મળે,ત્યાં જીવને સદગતી મળી જાય
.               ………………….મળતી માયાએ સડતી કાયા.
અવનીને ના આંબી શકે કોઇ,છોને હોય કોઇ પહેલવાન
કુદરતની એક નાની ટપલી,જીવના છુટી જાય ઘરબાર
સંબંધોની સાંકડી જ કેડી જીવને,માયાથી જ જકડી જાય
મળેજીવને કાયા અવનીએ,એજ કાયાની માયા કહેવાય
.               ………………….મળતી માયાએ સડતી કાયા.

************************************************

June 19th 2012

લાગણી પ્રેમ

.                  લાગણી પ્રેમ

તાઃ૧૯/૬/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની સાંકળ પારકી બનતાં,વ્યર્થ જીવન થઈ જાય
સમજણને સાચવી વિચારતાં,પાવનરાહ મળતીથાય
.             ………………..પ્રેમની સાંકળ પારકી બનતાં.
મળતી માનવતા કાયાને,કળીયુગી ઝંઝટ જતીથાય
સરળતાનો જ્યાં સાથ મળે,ના વ્યાધી કોઇ અથડાય
ભક્તિનોસંગાથ નિરાળો,સાચીશ્રધ્ધાભક્તિએ લેવાય
કળીયુગી વાદળ ને છોડવા,નિત્ય જલાસાંઇને ભજાય
.           …………………પ્રેમની સાંકળ પારકી બનતાં.
સૃષ્ટિનોસહવાસ જીવને,જ્યાં દેહઅવનીએ મળીજાય
લાગણીપ્રેમ મળે દેહને,એ પરમાત્માની કૃપાકહેવાય
નિર્મળતાના વાદળ વરસે,જીવને અનંતઆનંદ થાય
સરળતાનો સાથ જીવને,જ્યાં લાગણીપ્રેમ મળી જાય
.             ………………..પ્રેમની સાંકળ પારકી બનતાં.

+++++++++++++++++++++++++++++++++++++

June 19th 2012

આદરમાન

.                    .આદરમાન

તાઃ૧૯/૬/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અતિથીને આદર કરતાં,મનમાં ખુબ આનંદ થાય
પ્રેમનોસાગર મેળવીલેતાં,આજીવન ઉજ્વળ થાય
.               ……………….અતિથીને આદર કરતાં.
નિશ્વાર્થ ભાવના મેળવતાં,સંબંધ સૌ ના સચવાય
આશિર્વાદની કેડી મળતાં,મારુ જીવન સરળ થાય
પળેપળને પારખી લેતાં,જગતપિતાની કૃપા થાય
ભાગેઅશાંન્તિ મળેશાંન્તિ,જ્યાંભક્તિનીપરખથાય
.                 ……………….અતિથીને આદર કરતાં.
માનમળે લાયકાતેદેહને,ને સન્માન પણ સચવાય
મારુંતારુંની માયાછુટતાં,પરમાત્માનીઓળખ થાય
સાચીશ્રધ્ધા રાખીમનમાં,વડીલનેદેહથીવંદન થાય
મળે નામાયામોહજગે,જીવનોમુક્તિમાર્ગ ખુલીજાય
.                  ……………….અતિથીને આદર કરતાં.

======================================

June 18th 2012

લખેલ કર્મ

.                       .લખેલ કર્મ

તાઃ૧૮/૬/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતાંપ્રેમ પ્રભુનો જીવને,કર્મની કેડી મળી જાય
અવનીપરના આગમનથી,જીવે કર્મ લખાતાજાય
.             ……………….મળતાં પ્રેમ પ્રભુનો જીવને.
સુગંધ પ્રસરે પ્રેમની જગે,જે સત્કર્મોથી જ સંધાય
જલાસાંઈની ભક્તિ કેડીએ,પરમાત્મા રાજી થાય
માગણી પ્રેમ પ્રભુથી કરતાં,જન્મ સફળ થઇ જાય
કર્મના બંધન જીવની સંગે,જે સદગતિ દઈ જાય
.             ………………. મળતાં પ્રેમ પ્રભુનો જીવને.
નિરાધારનો આધાર પ્રભુજી,વાણી વર્તનથી દેખાય
ભક્તિનો છેસંગઅનેરો,જીવેઆધી વ્યાધીથીબચાય
સાચી રાહ મળે જીવને જ્યાં,ના ખોટો પ્રેમ ઉભરાય
કૃપાની કેડી જીવને મળે,જ્યાં કર્મ સારા લખેલહોય
.           ………………… મળતાં પ્રેમ પ્રભુનો જીવને.

+++++++++++++++++++++++++++++++++++++++

June 17th 2012

બાબાને શરણે

.

.

.

.

.

.

.

.

.

.                .બાબાને શરણે

તાઃ૧૭/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરણે તમારે આવ્યો બાબા,દેજો જીવને ભક્તિ પ્રેમ
સદા જીવનમાં સાથે રહીને,કરજો કૃપા મહેર અનેક
.                          ……………..શરણે તમારે આવ્યો બાબા.
ભક્તિપ્રેમની કેડી આપી,શ્રધ્ધા રાખી મનથી મેં એક
મળશે પ્રેમ બાબાનો અમને,એજ જીવનમા મારીટેક
.                          ……………..શરણે તમારે આવ્યો બાબા.
શરણુંતમારું લીધું મનથી,સંતાન સહિત કરીએ પ્રેમ
નિર્મળપ્રેમની વર્ષા કરજો,સદા માગું છું મનથી એમ
.                        ……………….શરણે તમારે આવ્યો બાબા.
કૃપા તમારી અનુભવુ છું,મનને શાંન્તિ મળે છે અનેક
દર્શન કરવા હૈયુ તરસે,આવો બાબા પ્રેમે અમારે ધેર
.                       ………………..શરણે તમારે આવ્યો બાબા.
જીવનેદેજો શક્તિ ભક્તિની,જે તનમને શાંન્તિ દે છેક
જન્મમરણની કેડીછોડી,બાબાખોલજો મુક્તિદ્વાર એક
.                      …………………શરણે તમારે આવ્યો બાબા.
દર્શન કરવા આંખો તરસે,અનુભુતિ હૈયામાં થાય શ્વેત
દેહ ધરેલ અવનીએ બાબા,જોવા મનડુ ચાહે એજ ટેક
.                        ………………..શરણે તમારે આવ્યો બાબા.

+++++++++++++++++++++++++++++++++++++++

June 17th 2012

શિવરાત્રી

 

.

.

.

.

.

.

.

.

.                           શિવરાત્રી

તાઃ૧૭/૬/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુ ભોલેનાથની ભક્તિ કરતાં,મન મારુ હરખાય
શિવરાત્રીનો આનંદ માણતાં,સૌ ભક્તો રાજી થાય
.              …………………પ્રભુ ભોલેનાથની ભક્તિ કરતાં.
ૐ નમઃ શિવાયના એક જાપથી,જીવને આનંદ થાય
માતા પાર્વતીનો પ્રેમ મળતાં,શાંન્તિ સદા મળી જાય
ગજાનંદનીકલમ ચાલતાં,જીવનોજન્મસફળથઈજાય
મોહમાયાની ચાદર છુટતાં,દેહે પાવન કર્મ મળી જાય
.              ………………….પ્રભુ ભોલેનાથની ભક્તિ કરતાં.
ભક્તિનો સંગાથ જીવનમાં,જીવની પળે પળ સચવાય
અંતરમાં આનંદ અનેરો ,ના જગતે  ક્યાંયથી મેળવાય
શિવપિતા ને માતા પાર્વતીની,કૃપાએ સ્નેહ મળી જાય
જન્મસફળની કેડીમળતાં,જીવના ભવોભવ સુધરીજાય
.               …………………પ્રભુ ભોલેનાથની ભક્તિ કરતાં.

=====================================

June 16th 2012

બચાવો

.                              બચાવો

તાઃ૧૬/૬/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

.          .પરમ કૃપાળુ પરમાત્માએ મનુષ્ય દેહ આપી જીવને કર્મના
બંધનથી જન્મની પરંપરા કે પછી મુક્તિ મેળવવાની તક આપી છે.
આ સાંકળમાંથી બહાર નિકળવાની ઇચ્છા હોય તો કોઇપણ યુગમાં
સાચી ભક્તિ જીવને બચાવે છે.

*  જીવે કરેલ કર્મ એજ તેની તિજોરી છે.
*  દરેક દેહે જીવન દરમ્યાન મહેનત કરવી જ પડે છે.મહેનતના
.    ફળ રૂપે તેને જરૂરીયાત મળે છે.
*  પશુ પક્ષી અને પ્રાણીએ દુનીયામાં આધારીત દેહ છે.જેને બીજા
.   પર આધાર રાખવો પડે છે.
*  મનુષ્ય દેહ એ પરમાત્માની અસીમ કૃપાએ મળે છે.જે કર્મના
.   બંધનમાં બંધાવે યા તેમાંથી મુક્તિ કરાવી શકે છે.
*  દરેક પળને સાચવીને સત્કર્મોનો સાથ મેળવી જીવન જીવતાં
.    દેહનો અંત પરમાત્માના હાથમાં  જ છે તે વિશ્વાસ એ કૃપા છે.
*  કળીયુગમાં દેખાવની ભક્તિ કે પહેરવેશ એ જીવને કર્મમાં જકડી
.   રાખી જીવને દેહ મળતા જ રહે છે કારણ તે મુક્તિથી દુર છે.
*   અંતરમાં વિશ્વાસ અને નિર્મળ સ્વભાવ એ વડીલને વંદનની રાહ
.    આપે છે.
*   ઉંમરનો સંબંધ જન્મ મળેલા દરેક જીવને છે.પણ લાયકાતે જ
.    તેને વંદન અને પ્રણામ મળે છે.

++++++++++++++++++++++++++++++++++++++++++

June 15th 2012

મંદીરના દ્વાર

.                    મંદીરના દ્વાર

તાઃ૧૫/૬/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુકૃપા ને પ્રેમ મળે જીવને,અનંત શાંન્તિ મળી જાય
પામર જીવને સદમાર્ગ મળે,ત્યાં જન્મ સફળથઈ જાય
.                 ………………..પ્રભુકૃપા ને પ્રેમ મળે જીવને.
સરળ જીવનમાં સાથ મળે,જ્યાં જીવ ભક્તિમાર્ગે જાય
સંસારનો સંબંધ સાચવી ચાલતાં,વ્યાધી ના અથડાય
પ્રભુ કૃપાએ લાયકાત જીવની,ત્યાં મંદીર ઘરમાં થાય
જલાસાંઇની મળતાં કૃપા,ઘરમંદીરના દ્વાર ખુલી જાય
.               ………………….પ્રભુકૃપા ને પ્રેમ મળે જીવને.
ના દાન પેટીના મોહ પ્રભુને,કે ના ટીલા ટપકાના ખેલ
મન વિચારને વાણી સાચવી,ત્યાં મળે શાંન્તિના મહેલ
સમયને સમજી ચાલતા,જીવને મળીજાય પવિત્ર વ્હેણ
આવી આંગણે પરમાત્મા રહે,એજ સાચી ભક્તિની દેણ
.                …………………પ્રભુકૃપા ને પ્રેમ મળે જીવને.

++++++++++++++++++++++++++++++++++++

June 15th 2012

સંબંધ

.                        સંબંધ

તાઃ૧૫/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંબંધની સાંકળ છે ન્યારી,ના કોઇ જીવથી છોડાય
લોહીનો સંબંધ જકડી રાખે,બીજો ક્યારેકછુટી જાય
.                        ………………સંબંધની સાંકળ છે ન્યારી.
જન્મમળે જીવને અવનીએ,જન્મ મરણથીએ સંધાય
માનવદેહ બને અંતીમ જીવનો,જે કર્મબંધને જોડાય
પરમાત્માના પ્રેમને પામતા,મોક્ષ જીવને મળી જાય
જન્મમરણનાસંબંધછુટે,જીવનો ઉધ્ધર થયો કહેવાય
.                         ………………સંબંધની સાંકળ છે ન્યારી.
માબાપની પ્રેમ જ્યોત મળે,ને સંતાન થઈને જીવાય
લોહીની આ કડી એવી ન્યારી,ના કુટુંબમાંથી છટકાય
પ્રેમનાસંબંધમાં જ્યાંકાતરફરે,તો અળગા થઇજવાય
કદી જીવનમાં ના મળે પ્રેમ,જેને કર્મનાબંધનકહેવાય
.                         ………………સંબંધની સાંકળ છે ન્યારી.

+++++++++++++++++++++++++++++++++++=

June 14th 2012

માગણી પ્રેમની

.                   માગણી પ્રેમની

તાઃ૧૪/૬/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

હૈયામાં જ્યાં મળી જાય આનંદ,ને મનમાં ઉમંગ ઉભરે
એવા પવિત્ર પ્રેમની માગણીએ,જીવે પ્રેમસાગર વરસે
.            ………………..હૈયામાં જ્યાં મળી જાય આનંદ.
પ્રેમ મળે જ્યાં સાચો મનથી,ના મોહમાયા કોઇ ભાસે
આંખો ભીની થઈજાય જ્યાં,ના શબ્દ કોઇ જીભે આવે
નિર્મળતાના વાદળવરસે,ને લાગણીપ્રેમ મળી જાય
નાઅપેક્ષા જીવની કોઇરહે,જે  વ્યર્થ જીવન કરી જાય
.            ………………..હૈયામાં જ્યાં મળી જાય આનંદ.
વડીલને વંદન મનથીથાય,ના દેખાવને કોઇ સંબંધ
સ્વાર્થનીસાંકળપકડીજીવે,તિરસ્કારની નાવ લેવાય
સંતાનનોસ્નેહ નિખાલસ લેવા,વાણીવર્તનસચવાય
આવીમળે પ્રેમજગતમાં,જ્યાં શિતળતાનીવર્ષાથાય
.             ……………….હૈયામાં જ્યાં મળી જાય આનંદ.

=====================================

« Previous PageNext Page »