May 8th 2021

ભક્તિ ભજન

##જાણો મીરાબાઈના જીવન ચરિત્ર વિશે અને તેમની રામ-કૃષ્ણ ભક્તિ વિશે - Suvichar Dhara##

.          .ભક્તિ ભજન 

તાઃ૮/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરતા,જીવના દેહ પર પ્રભુની કૃપા થાય
પ્રેમમળે પરમાત્માનો જીવનમાં,જે પરમાત્માના નામથી ભજનકરાય
....મળેલ માનવદેહ પર પ્રભુએ લીધેલદેહની,ધુપદીપથી પ્રભુની પુંજા કરાય.
ગોવિંદબોલો ગોપાલબોલો સંગે,રાધાકૃષ્ણથી પુંજન કરી વંદન કરાય
સીતારામ સીતારામના ભજનથી,એ પ્રભુનોદેહ શ્રીરામથી ઓળખાય
સંગે જીવનસંગીની સીતા માતાના નામથી,વંદન કરીને પુંજન કરાય
એ પવિત્રદેહ પરમાત્માએ લીધા ભારતમાં,જે ધરતી પવિત્ર કરી જાય
....મળેલ માનવદેહ પર પ્રભુએ લીધેલદેહની,ધુપદીપથી પ્રભુની પુંજા કરાય.
પરમાત્માએ અનેકદેહ લીધા અવનીપર,જે સમયથી જીવને પ્રેરી જાય
શ્રધ્ધા અને વિશ્વાસથી પરમાત્માની પુંજા કરાય,જે દેહપર કૃપા થાય
સમયની સાથે ચાલતા માનવદેહ પર,પવિત્રકૃપાએ શાંંતિ મળી જાય
જીવનમાં ના કોઇ માગણી કે અપેક્ષા રહે,એજ પાવનકૃપા કહેવાય
....મળેલ માનવદેહ પર પ્રભુએ લીધેલદેહની,ધુપદીપથી પ્રભુની પુંજા કરાય.
============================================================
 















જીવનમાં,

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment