May 18th 2021

જલાસાંઇની કૃપા

Om Jala Sai - Home | Facebook

.         .જલાસાંઇની કૃપા

તાઃ૧૮/૫/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રદેહથી જન્મ લીધો વિરપુરમા,જે પવિત્ર સંત જલારામ કહેવાય
શેરડીગામમાં આવ્યા પાર્થીવગામથી,એ સંત સાંઇબાબાથીઓળખાય
....પવિત્ર દેહથી પધાર્યા ભારતદેશમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
માનવદેહને સંબંધ સમયનો જીવનમાં,ના કદી કોઇજ દેહથી છટકાય
પવિત્રરાહ ચીંધી વિરપુરમાં જલારામે,જે માનવદેહને ભોજનઆપીજાય
અન્નદાનની કૃપાકરી જે નિરાધારપર,એ પરમાત્માની પાવનકૃપા થાય
મળેલદેહને સાચવવા જીવનમાં,સવારસાંજની સાથે રહેતા ભોજનકરાય
....પવિત્ર દેહથી પધાર્યા ભારતદેશમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
પરમાત્માની કૃપા થતા સાંઇબાબા શેરડી આવ્યા,એસંતથી ઓળખાય
મળેલ જન્મને સંબંધ સંસારનો,જે દેહ મળતા ધર્મકર્મને સમયે સમજાય
સંત સાંઇબાબાએ આંગળી ચીંધી,ના હિંદુ મુસ્લીમ ધર્મથી દુર રહેવાય
માનવદેહને સમજીને ચાલતા,જીવનમાં શ્રધ્ધાસબુરીને સમજીનેજ જીવાય
....પવિત્ર દેહથી પધાર્યા ભારતદેશમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment