May 29th 2021
. .પવિત્ર ભક્ત
તાઃ૨૯/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામની માળા જપતા જીવનમાં,ભક્ત હનુમાનની કૃપા મળી જાય
અજબ શક્તિશાળી પવિત્રભક્ત હતા એ,જે શ્રીરામને મદદ કરી જાય
....પવિત્રદેહ લીધો માતા અંજનીથી,જે જગતમાં પવનદેવના પુત્ર પણ કહેવાય.
પરમાત્મા એ લીધેલદેહ શ્રીરામથી અયોધ્યામાં,પત્નિ સીતાજી કહેવાય
સમયની સાથે ચાલતા શ્રીરામઅને સીતાજી,જંગલમાં જીવનજીવી જાય
લંકાના રાજા રાવણને કુદરતની પ્રેરણાથઈ,સીતાજીને એ ઉઠાવી જાય
શ્રીરામને જીવનમાં ના કોઇસંકેત મળ્યો,ના પત્નિ સીતાને શોધી જાય
....પવિત્રદેહ લીધો માતા અંજનીથી,જે જગતમાં પવનદેવના પુત્ર પણ કહેવાય.
શ્રીરામને પવિત્રભક્ત હનુમાન,એ ઉડીને ભાઈમાટે સંજીવની લાવીજાય
બેહોશ થયેલ રામનાભાઈ લક્ષ્મણને,સંજીવનીથી હનુમાન બચાવી જાય
આકાશમાં ઉડીને શોધતા સીતાજીને શોધી,શ્રીરામલક્ષ્મણને કહી જાય
સીતાજી માટે રામલક્ષ્મણ સહિતઆવી,લંકામાં રાવણનુ દહન કરી જાય
....પવિત્રદેહ લીધો માતા અંજનીથી,જે જગતમાં પવનદેવના પુત્ર પણ કહેવાય.
##############################################################
No comments yet.