August 5th 2021

પ્રભુને વંદન

 તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું | Te Savita Parabrahma Prabhu nu
.          .પ્રભુને વંદન  

તાઃ૫/૮/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવના માનવદેહને જગતમાં કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહથી થાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,એ જીવને માનવદેહથી અનુભવાય
....માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીકૃપા થાય જ્યાં પ્રભુને વંદન થાય.
પવિત્ર હિંદુધર્મ થયો ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
પ્રભુની પવિત્રકૃપા મળે જીવનમાં,જે શ્રધ્ધાએ,દેહને પાવનરાહે દેખાય
પવિત્રધર્મની રાહ મળે જીવનાદેહને,જ્યાં ધુપદીપકરી ઘરમાં પુંજાકરાય
જગતમાં જીવનુ અવનીપર આગમન,જે અનેકપ્રકારના દેહથી મેળવાય
....માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીકૃપા થાય જ્યાં પ્રભુને વંદન થાય.
પ્રભુની પાવનકૃપા અવનીપર,જીવને પ્રાણીપશુમાનવીથી દેહ આપીજાય
જન્મમળે દેહથી જીવનેજે સમયસાથે લઈ જાય,એ કર્મથી દેહ મળીજાય
શ્રધ્ધાભાવથી ઘરમાં પુંજનકરી,ધુપદીપકરી શિવલીંગને દુધ અર્ચના કરાય
પવિત્ર ભાવનાથી પ્રભુને વંદન કરતા,જીવનમાં પવિત્રકૃપાજ મળતી જાય
....માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીકૃપા થાય જ્યાં પ્રભુને વંદન થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment