August 14th 2021

પવિત્ર ભુમી ભારત

***સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ કરી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત | India News in Gujarati***

.                    .પવિત્ર ભુમી ભારત 

તાઃ૧૫/૮/૨૦૨૧    (સ્વાતંત્ર દીવસ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પવિત્ર ભુમી ભારત છે,જેને જગતમાં વંદે માતરમ કહેવાય 
ભારતદેશનો આજે ૭૫મો સ્વાતંત્રદીવસ,દુનીયામા પ્રેમથીવંદનકરાય
.....દુનીયામાં રહેતા ભારતીઓ સ્વાતંત્રદીવસે,દેશના ધ્વજને સલામ કરી જાય.
જનગણમન અધિનાયક જયહે,ભારતભાગ્ય વિધાતા શ્રધ્ધાએ ગાઈ જાય 
પવિત્રદેશને સ્વાતંત્ર દીવસે સલામ કરી,જગતમાં પવિત્રદેશ એકરી જાય 
પવિત્રભારતમાતાના સંતાન જગતમાં,દેશની પવિત્રકર્મે શાન વધારી જાય 
ભારતની ભુમીને પરમાત્માએ અનેકદેહલઈ,મળેલદેહપર પરમકૃપાથઈજાય 
.....દુનીયામાં રહેતા ભારતીઓ સ્વાતંત્રદીવસે,દેશના ધ્વજને સલામ કરી જાય. 
ભારતના સ્વાતંત્રદીવસે પ્રદીપથી,ધ્વજવંદન કરી મેરા ભારતમહાન કહેવાય 
જગતમાં પવિત્રદેશને પરમાત્માની કૃપા મળી,જે દેશવાસીઓપર કૄપા થાય 
માનવદેહને પાવનરાહ મળે,જે જીવને ભારતમાં જન્મમળતા અનુભવ થાય 
સ્વાતંત્ર દીવસે ધ્વજને સલામકરી,જનગણ મન અધી નાયક જયહે બોલાય
 .....દુનીયામાં રહેતા ભારતીઓ સ્વાતંત્રદીવસે,દેશના ધ્વજને સલામ કરી જાય.
############################################################## 
         ભારતદેશના સ્વાતંત્રદીવસને અમેરીકા આવેલા ભારતીયો દેશના ધ્વજને
 વંદન કરી ૭૫મા સ્વાતંત્રદીવસે દેશની શાન વધારી જાય. 
       લી.પ્રદીપના વંદન. તાઃ૧૫મી ઓગસ્ટ ૨૦૨૧  (સ્વાતંત્ર દીવસ)
##############################################################
August 14th 2021

પવિત્ર ભક્ત કહેવાય

**રઘુનંદન (શ્રી રામ) પ્રિય ભક્ત શ્રી હનુમાનજી – Jain Kranti | જૈન ક્રાંતિ**

.         .પવિત્ર ભક્ત કહેવાય

તાઃ૧૪/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

રામનામની માળા જપતા જીવનમાં,રામભક્ત હનુમાનની કૃપા થાય
શ્રીરામના એ લાડલા ભક્ત છે અવનીપર,અનેકરાહે મદદ કરી જાય
....હિંદુધર્મમાં પરમ શક્તિશાળી ભક્તથયા,જે રામને અનેકરાહે મળી જાય.
પવિત્રકૃપા માતાઅંજનીની સંતાનપર,સંગે પિતાપવનદેવનો કૃપા થાય
પરમાત્માના દેહ શ્રીરામને અનેક તકલીફથી,હવામાં ઉડીને મદદથાય
એહનુમાન શ્રીરામના લાડલા ભક્તથયા,જે સીતાને શોધીને બચાવાય
શ્રીરામ સંગે ભાઈ લક્ષ્મણને ઉડાવીને,એ લંકામાં લાવી બચાવી જાય
....હિંદુધર્મમાં પરમ શક્તિશાળી ભક્તથયા,જે રામને અનેકરાહે મળી જાય.
પવિત્ર દીવસ શનિવાર છે હિંદુધર્મમાં,એ દીવસે બજરંગબલીને પુંજાય
હનુમાનજીને વંદનકરતા ભક્તોથી,પ્રથમ શ્રીરામ ભક્ત મહાવીરકહેવાય
પ્રભુ શ્રીરામના પત્નિ સીતામાતાને બચાવવા,લંકાનુએ દહન કરી જાય
રાજારાવણને જીવનમાં અભિમાન મળ્યુ,શ્રીરામને હનુમાન બચાવી જાય
....હિંદુધર્મમાં પરમ શક્તિશાળી ભક્તથયા,જે રામને અનેકરાહે મળી જાય.
#############################################################