August 19th 2021

આરાસુરથી પધારો

**ambe mataji | chamundamaa | Flickr**
.          .આરાસુરથી પધારો

તાઃ૧૯/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપાળુ માતા અંબાજી હિંદુધર્મમાં,જે પવિત્રભક્તોની ભક્તિ પારખી જાય
શ્રધ્ધારાખીને પુંજાકરતા ભક્તોને,આરાસુરથી આવી કૃપાએ દર્શન આપી જાવ
.....એ પવિત્રશ્રધ્ધા પારખીને વ્હાલા ભક્તોની,જીવને પવિત્ર આશિર્વાદ મળી જાય.
આરાસુરના વ્હાલા અંબામાતાની ઘરમાં પુંજાકરી,શ્રધ્ધાથી માતાને વંદન કરાય 
પરમકૃપાળુ માતા હિંદુધર્મમાં,જગતમાં શ્રધ્ધારાખીને ભક્તિકરતાકૃપા અનુભવાય
શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરી માતાને પ્રાર્થના,આરાસુરથી પધારી દર્શન આપી જાવ
ધુપદીપ સહિત વંદનકરી આંગણે આવી,અંબામાતાના આગમનની રાહ જોવાય
.....એ પવિત્રશ્રધ્ધા પારખીને વ્હાલા ભક્તોની,જીવને પવિત્ર આશિર્વાદ મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પરમાત્મા દેવદેવીયોથી જન્મ લઈ જાય
પવિત્રધર્મને શ્રધ્ધાથી વંદન કરતા,જગતમાં હિંદુધર્મમાં ઘરમાં અને મંદીરમાં પુંજાય
માતાને શ્રી અંબે શરણં મમઃ મંત્રથી પુંજા કરાય,જે ભક્તોનીશ્રધ્ધા પરખાઈ જાય
આરાસુરથી પવિત્રકૃપાથી આવી અંબેમાતા,આશિર્વાદ આપી જીવનેમુક્તિ દઈજાવ
.....એ પવિત્રશ્રધ્ધા પારખીને વ્હાલા ભક્તોની,જીવને પવિત્ર આશિર્વાદ મળી જાય.
##################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment