August 31st 2021
**
. .ભંડારી ભોલેનાથ
તાઃ૩૧/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં હિંદુધર્મમાં પવિત્રપ્રેમ ભંડારી,શંકર ભગવાનને ભોળાનાથ કહેવાય
અદભુત કૃપાળુ છે શ્રધ્ધાળુ ભક્તોપર,જે મળૅલ માનવદેહને પાવન કરીજાય
.....જગતમાં પવિત્રધર્મની શાનવધારી,જ્યાં ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગત જન્મે મળેલદેહના કર્મથી મેળવાય
પવિતકૃપા મળે મળેલ માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાથાય
પરમ શક્તિશાળી શંકર ભગવાન છે,જે ભારતમાં જટાથી ગંગા વહાવીજાય
ભારતનીધરતીને પવિત્રકરી ભગવાને,એમળૅળદેહના જીવને મુક્તિએ લઈજાય
.....જગતમાં પવિત્રધર્મની શાનવધારી,જયાં ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
ભક્તોને શ્રધ્ધાએ કૃપાકરે ભોલેનાથ,સંગે માતા પાર્વતીના આશિર્વાદ મેળવાય
ૐ નમઃશિવાયનુ સ્મરણકરી ઘરમાં,ધુપદીપકરી શિવલીંગપર દુધ અર્ચનાકરાય
માનવજીવનમાં કૃપા મળે ભગવાન ભોલેનાથની,જે જીવનમાં સુખ આપી જાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા રખાય,જ્યાં ભંડારી ભોલેનાથની કૃપા થાય
.....જગતમાં પવિત્રધર્મની શાનવધારી,જયાં ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
###################################################################
No comments yet.