February 2nd 2022

નિખાલસ ભજન

Home - Shabdoni Sangathe
.        .નિખાલસ ભજન

તાઃ૨/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને જનમમરણનો સંબંધ મળે,જે અવનીપર આવનજાવન આપી જાય
કુદરતની આ પવિત્ર કૃપા જગતપર,એ જીવને જન્મમરણથી મળતી જાય
.....પરમાત્માએ જગતપર માનવદેહને પ્રેરણા કરવા,ભારતમાં જન્મ લઈ પ્રેરી જાય.
ધરતીપરના આગમન વિદાયથી જીવને પ્રેરણા મળે,જે મળેલદેહથી દેખાય
પવિત્રકૃપા પરમાત્માની મળે માનવદેહને,એ જન્મ મળતા પ્રેરણા મળીજાય
જગતપર અનેકદેહથી જીવનુ આગમનથાય,માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે નિરાધાર મળેલદેહથી બચાવીજાય
.....પરમાત્માએ જગતપર માનવદેહને પ્રેરણા કરવા,ભારતમાં જન્મ લઈ પ્રેરી જાય.
પાવનકૃપા મળે પરમાત્માની,જ્યાં શ્રધ્ધારાખીને નિખાલસતાથી ભજન ગવાય
જીવને અવનીપર આગમનમળે દેહથી,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએ જીવને મળે,જે સમયસાથે દેહનેજીવાડીજાય
જીવને પવિત્રકૃપા મળે ભગવાનની દેહને,જ્યાં નિખાલસભાવનાથી ભક્તિથાય
.....પરમાત્મએ જગતપર માનવદેહને પ્રેરણા કરવા,ભારતમાં જન્મ લઈ પ્રેરી જાય.
-----------------------------------------------------------------

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment