February 24th 2022
. .ભક્તિની શ્રધ્ધા
તાઃ૨૪/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,જે મળેલદેહથી સમજાય
જીવનાદેહને અવનીપર કર્મનોસંબંધ,એ જીવને જન્મમરણથી દેખાય
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની ભક્તિ કરાય.
માનવદેહને પ્રભુકૃપાએ સમયસાથે ચાલતા,જીવનમાં સુખ મળીજાય
ના કોઇઅપેક્ષા ના કોઇઆશા રહે,એ પવિત્રરાહેજ દેહને લઈ જાય
સ્વામીનારાયણ ભગવાનની ક્રૂપાએ,વડતાલમાં પવિત્રમંદીર થઈજાય
શ્રધ્ધારાખીને મળેલદેહને પ્રભુની ભક્તિથી,પવિત્રરાહે જીવન જીવાય
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની ભક્તિ કરાય.
જગતમાં પવિત્ર ભારતદેશ થયો,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મી જાય
શ્રધ્ધાથી ભક્તિની જ્યોત પ્રગટી,જે હ્યુસ્ટનમાં વડતાલધામ કરી જશે
વડતાલધામના શ્રધ્ધાળુ ભક્તોને,પ્રભુની પ્રેરણાએ નવુમંદીર બનીજશે
સ્વામીનારાયણ ભગવાનની પવિત્રકૃપાએ,ભક્તોને મંદીરમાં દર્શનથશે
....પ્રભુની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની ભક્તિ કરાય.
========================================================
No comments yet.