October 10th 2011

સરગમના તાલ

.                સરગમના તાલ

તાઃ૧૦/૧૦/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરગમના તાલની રીત ન્યારી,એ સુખદુઃખને પકડી જાય
મોહમાયાના બંધન મુકતાં,જીવને મુક્તિ માર્ગ મળી જાય
.                      ………….સરગમના તાલની રીત ન્યારી.
મળે જીવનમાં અતિ પ્રેમ,ત્યાં જીવથી એ સહન નાથાય
ઉલેચવાને મળે નાઆરો કોઇ,ત્યાં તકલીફો મળતી જાય
માનવતાને  જો સાચવી રાખો,ઉભરો ત્યાંજ અટકી જાય
શાંન્તિનો સહવાસમળતા,સરગમના તાલ બદલાઇ જાય
.                       …………સરગમના તાલની રીત ન્યારી.
ઉંચનીંચ એતાલ જીવનના,જે સમયે સમયે સમજાઇજાય
માનવીમન ને સમજાવીરાખતાં,ના અતિનો આગ્રહ થાય
સમય ને સમજી ચાલતા જીવનના,વ્હેંણ સરળ થઈ જાય
કુદરતની આ છે  રીત અનોખી,જે ભક્તિએ સચવાઇ જાય
.                       ………….સરગમના તાલની રીત ન્યારી.

==================================

October 9th 2011

૯,૧૦,૧૧.

.                  ૯,૧૦,૧૧.

તાઃ૯/૧૦/૨૦૧૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદી જીવનમાં ના મળે,એવો મળી ગયો સમયનો સાથ
૯,૧૦,૧૧ કદી લખાય ના સાથે,આતો કુદરતની કમાલ
.                               ……………કદી જીવનમાં ના મળે.
સાચી સમજણ ભણતરની છે,જેમાં આવે ૯ પછી જ ૧૦
૯ એ તો દીવસ છે મહિનાનો,ને આ મહિનો પણ છે  ૧૦
કેવો મેળ કુદરતનો છે આજે,જે કદી ના આવે વર્ષો વર્ષ
આતો કુદરતની કારીગીરી ભઈ,ના કોઇથી કંઇ જ થાય
.                                 ………….કદી જીવનમાં ના મળે.
૯,૧૦ ની સમજ પકડાઇ ગઈ,તો હવે કહો કયુ વર્ષ છે આ
અરે ભઈ કુદરતની કલમ  જોતાં,કહેવાય કે વર્ષ આ ૧૧
દીવસ મહિનો તોસમજી લીધો,સાથે મળી ગયુ પણ વર્ષ
કલમ પકડી કાગળ પર તારીખ, લખતાં મળી ૯,૧૦,૧૧
.                                 …………..કદી જીવનમાં ના મળે.

૯,૧૦,૧૧*****૯,૧૦,૧૧@@@@@૯,૧૦,૧૧+++++++

October 9th 2011

જીવ ને જગત

.                 જીવ ને જગત

તાઃ૯/૧૦/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

*સમયને જગતમાં કોઇ પકડી શક્યુ નથી.
*જીવને મળેલ દેહની અપેક્ષા અધુતી રહેતા તેને જન્મ મળે છે.
*પ્રાણી અને પશુના દેહની જીંદગી એ બીજા પર આધારીત હોય છે.
*આજકાલના બંધન દરેક દેહને વળગેલ છે સાચી ભક્તિ જીવને બચાવે  છે.
*મારાની મમતા અને તારાનો તિરસ્કાર એ જ જીવનને ભિંજવી રાખે છે.
*મળતો પ્રેમ એ જીવની લાયકાત અથવા કર્મનાબંધન જે જીવનો ભુતકાળ છે.
*જ્યાં મોહમાયાના સંબંધ છે ત્યાં સતકર્મોનો સહવાસ કદી રહેતો જ નથી.
*જન્મ દેનાર માતા અને પાલનહાર પિતાને સદા નિર્મળ ભાવનાથી જોવા જોઇએ.
*જગના બધા બંધન નાશ પામે જ્યાં સાચા સંતની ભક્તિ થાય અને વર્તન સચવાય.
*કળીયુગની કાતર સૌપર ચાલે છે,પણ જ્યાં પરમાત્માની સાચી ભક્તિ છે ત્યાં અટકે છે.
*અપેક્ષા એ જીવની માગણી છે.કૃપાએ જીવની સાચી લાયકાત છે,જે ભક્તિએ જ મળે છે.

.    જીવ અને જગતની આ સમજ દરેક દેહને સ્પર્શે છે તેમાંથી કોઇ જ છટકી શકતુ નથી.
અને એટલા માટે માનવદેહથી સદમાર્ગે જવાય તો જીવનો ઉધ્ધાર થાય અને મુક્તિ મળે.

*************************************************************

October 9th 2011

ઝટપટ

.                    ઝટપટ.

તાઃ૯/૧૦/૨૦૧૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સમજીને જીવતાં જીંદગી,શીતળતા મેળવી જાય
ઝટપટની ઝાપટમાં આવતાં,બનતા કામય બગડી જાય
.                 …………..સમય સમજીને જીવતાં જીંદગી.
કડી મેળવી કુદરતથી જીવનમાં,સદકાર્યોજ મળતા જાય
સુખશાંન્તિ સંગે પ્રેમમળે જગતમાં,જ્યાં કૃપાપ્રભુની થાય
નાઆવે વ્યાધી કળીયુગની,ને ઉપાધીઓ તો ભાગી જાય
મનને મળતી શાંન્તિ જીવનમાં,જલાસાંઇની કૃપા કહેવાય
.                 ……………સમય સમજીને જીવતાં જીંદગી.
લાગણી પ્રીત જીવનમાં ભાગે,જ્યાં ઝટપટનો સંગ લેવાય
સમજણે કામને પુર્ણ સમજતાં,એ પાછળથી પસ્તાવીજાય
નાઆરો કે નાઓવારો રહે,જ્યાં દુઃખ સાગરમાં પડી જવાય
વિચારીને ભરેલ દરેક ડગલે,પરમાત્માનો સાથ મળી જાય
.                   …………..સમય સમજીને જીવતાં જીંદગી.

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()

October 8th 2011

એંધાણ

.                       એંધાણ.

તાઃ૮/૧૦/૨૦૧૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવી મનને મોકળાશ મળે,જ્યાં ડગલાંએ વિચારાય
કુદરતની આ સરળકેડી છે એવી,જે એંધાણ આપી જાય
.                     …………..માનવી મનને મોકળાશ મળે.
પ્રભુ પ્રેમને પામવાને જગતમાં,જીવ ભક્તિએ દોરાય
મળે સાચોમાર્ગ જીવને,જે પામર માનવી મેળવીજાય
જન્મ સફળ છે કર્મ સંગે,એ વાણીવર્તનથીજ સમજાય
મળે સાચોપ્રેમ પ્રભુનોજીવને,ભક્તિકર્મથી બંધાઇ જાય
.                     …………..માનવી મનને મોકળાશ મળે.
તાંતણો એક મળે પવિત્ર,જે દેહને ભક્તિએ ખેંચી જાય
પળપળને પકડાવી દઈને,જીવને સદમાર્ગે દોરી જાય
માબાપને એંધાણ મળે સંતાનના,જે વર્તનથી દેખાય
હાયબાયની એકજ કેડી જોતાં,સધળુય સમજાઇ જાય
.                     …………..માનવી મનને મોકળાશ મળે.

+++++++++++++++++++++++++++++++++++++

October 8th 2011

કંકુ ચોખા

.                    કંકુ ચોખા.

તાઃ૮/૧૦/૨૦૧૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ

શુભ અવસરનો અણસાર મળે,જેને પ્રભુ કૃપા કહેવાય
સમજી વિચારી આગળ વધતાં,કંકુ ચોખાએ વધાવાય
.                   …………શુભ અવસરનો અણસાર મળે.
મનને મળતા અનેક માર્ગે,જીવ આકુળ વ્યાકુળ થાય
શાંન્તિનો સથવારો મળતાદેહને,ઘણુંય સમજાઇ જાય
પ્રેમતો પડદો બને જીવનમાં,જે શુભકર્મોએ ખુલીજાય
પરમાત્માની એકદ્રષ્ટિએ,જીવનમાં ઘણુ બધુમળીજાય
.                  …………….શુભ અવસરનો અણસાર મળે.
ધર્મ કર્મના અતુટબંધન,જન્મ મળતાં જીવને સમજાય
પુંજનઅર્ચન મનથી કરતાં,સંતનો સહવાસ મળી જાય
વધામણીની વહેતીગંગા,મળેલ જીવનપવિત્ર કરીજાય
કંકુચોખા એ શીતળછે કેડી,જીવનો જન્મ સફળકરીજાય
.                     ………….શુભ અવસરનો અણસાર મળે.

=================================

October 7th 2011

સમયની સીડી

.               સમયની સીડી

તાઃ૭/૧૦/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સીડી સાંભળતા ભઈ સમયની,મે ંવાતો સાંભળી ચાર
ઉજ્વળ જીવન કેડી દર્શાવે,જે બતાવે જીવવાની વાટ
.                   ………….સીડી સાંભળતા ભઈ સમયની.
પ્રથમ માર્ગ બતાવ્યો જીવને,જેથી સાર્થક જીવનથાય
વંદન માબાપને પ્રેમે કરતાં,આશીર્વાદની વર્ષા થાય
સરળ માર્ગ જીવનમાં મળે,જ્યાં નિર્મળપ્રેમ મળીજાય
આધીવ્યાધી દુર ભાગે દેહથી,ને સુખસાગર મળી જાય
.                    ………….સીડી સાંભળતા ભઈ સમયની.
બીજી કેડી મળે દેહનેજીવનમાં,જ્યાં બુધ્ધીથી સમજાય
ભણતરના સોપાન મળે જ્યાં,ત્યાં સફળતા જ મેળવાય
વિશ્વાસની સાચીપ્રીત જગતમાં,જે ડગલેપગલે દેખાય
મળે માન અને સન્માન દેહને,જે સમયે આવે  સમજાય
.                    ………….સીડી સાંભળતા ભઈ સમયની.
સમય આવતાં સરળતા મળે,જ્યાં કુટુંબ પ્રેમ મળીજાય
ભાઇભાંડુંને પતિપત્નીસંગે,હ્ર્દયથી પ્રેમનિખાલસ થાય
ઘરમાં મળતી શાંન્તિદેહને,પવિત્ર ભક્તિમાર્ગ દઇ જાય
જીવના આ ત્રીજાકાળમાં,સમયે પ્રેમ સૌનોય મળીજાય
.                     ………….સીડી સાંભળતા ભઈ સમયની.
ચોથી વાત સાંભળી સીડીની,જે સાંભળનારા સૌ હરખાય
રાહ બતાવી ઘડપણની દેહને,જે જીવને મુક્તિએ દોરાય
સમજણ પોતાની સાચવીને,બીજાને સાંભળતાસુખ થાય
ભક્તિમાર્ગની પવિત્ર કેડી,જીવને જલાસાંઇની કૃપા થાય.
.                        ………….સીડી સાંભળતા ભઈ સમયની.

#####################################

October 7th 2011

સમયનો સાથ

.                 સમયનો સાથ

તાઃ૭/૧૦૨૦૧૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી લેતા આંગળી સમયની,સઘળુ સચવાઇ જાય
ચુકી જતાં એક પળ જીવનમાં,સઘળુય વેડફાઇ જાય
.                   ………….પકડી લેતા આંગળી સમયની.
મળતા દેહ અવનીએ જીવને,જગે માબાપ મળી જાય
બાળપણની કેડીને કુદતાં દેહ,જુવાનીએ લપટાઇજાય
જુવાનીના જોશને સાચવતાં,ઘણું બધુ સમજાઇ જાય
કુદરત કેરા ન્યાયમાં,સમય જીવને ઘણુંય આપી જાય
.                    …………પકડી લેતા આંગળી સમયની.
ઝટપટની ઝંઝટ જ્યાં મુકી,ત્યાં સફળ કામ થઈ જાય
શ્રધ્ધા એ સમજ જીવની,જે સાચી ભક્તિએ સમજાય
સુખ દુઃખ એતો દેહનીચાવી,ના જીવને કાંઇજ લગાર
સમય આવે સમજાય જીવને,જે મતીને બદલી જાય
.                    …………પકડી લેતા આંગળી સમયની.

*********************************************

October 6th 2011

આથમતી સંધ્યા

.                  આથમતી સંધ્યા

તાઃ૬/૧૦/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યોદયનો સહવાસ મેળવતાં,જેમ પ્રભાત ઉજ્વળ થાય
દીવસ દરમ્યાન મહેનતકરતાં,સંધ્યા શીતળ મળી જાય
.                        …………સુર્યોદયનો સહવાસ મેળવતાં.
પ્રભાતનું પુંજન દે ઉજ્વળજીવન,જે પ્રભુ કૃપાય દઈ જાય
સાચી રાહ મળીજાય જીવને,ત્યાં તન,મન,ધન મળી જાય
સગા સ્નેહીનો પ્રેમ મળે જ્યાં,ત્યાં જીવને શાંન્તિ થઇ જાય
મન પવિત્ર રાહે ચાલે દેહથી,ના આધી વ્યાધીઓ અથડાય
.                           …………સુર્યોદયનો સહવાસ મેળવતાં.
મહેનતમનથી કરતાં જીવનમાં,સફળતાની દોર મળી જાય
અંતરથી સાચી સમજ મળતાં,ના કોઇથીય દગો પણ થાય
કુટુંબ કેરી કેડી જીવનમાં,જીવના સાચા બંધનથી મેળવાય
કર્મના બંધન વર્તન દઈદે,જે મળેલ જન્મ સફળ કરી જાય
.                         ………….સુર્યોદયનો સહવાસ મેળવતાં.
દેહને મળતી અનેક કેડીઓ,જે જગતમાં પ્રસરતીય દેખાય
કઈ કેડી ક્યારે મલશે જીવને,એતો દેહના વર્તનથી દેખાય
સાચી રાહને પકડી ચાલતાં,જીવને સુખ શાંન્તિ મળી જાય
આથમતી સંધ્યા શીતળ મળે,જ્યાં મનવર્તનથી સચવાય
.                          …………સુર્યોદયનો સહવાસ મેળવતાં.

+++++++++++++++++++++++++++++++++++++

October 5th 2011

લગામની પકડ

.              લગામની પકડ

તાઃ૫/૧૦/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધાને સમજાય જીવનમાં,ત્યાં શાંન્તિ મળતી જાય
સમજીને લગામ રાખતાં હાથમાં,સર્વે સફળતાલેવાય
.                     ………….. શ્રધ્ધાને સમજાય જીવનમાં.
માયાનાબંધન છે જગમાં,મન મતીથી અટવાઇ જાય
સમજી વિચારી ડગલુ ભરતાં,પાવનકર્મ જીવથીથાય
મોહ જીવનમાંસૌને લાગે,તેને સમજદારથી સમજાય
ના આડી કોઇ આફત આવે,કે ના અથડામણ કોઇથાય
.                     ……………શ્રધ્ધાને સમજાય જીવનમાં.
સાચી લાગણી હ્ર્દયથી નીકળે,ના ઉભરાથી એ દેવાય
મળે અંતરની પ્રીત જગતમાં,જેને પ્રેમ સાચો કહેવાય
પારકરે જ્યાં લાગણીજીવનમાં,ત્યાંઅતિનો ઉભરોથાય
ના ઉજ્વળતા મળેદેહને,કે ના કોઇ કામસફળ પણથાય
.                      ……………શ્રધ્ધાને સમજાય જીવનમાં.
ઝળહળ વહેતા ઝરણાને,શીતળ વહેંણ છે એમ કહેવાય
વહી જાય જ્યાં વહેણ ઝડપથી,દેહને ઝાપટ મારી જાય
લગામનો જ્યાંસાથછે જીવનમાં,ત્યાં સફળતા મેળવાય
ઉજ્વળ જીવન જીવીજવાને,સાચીરાહ જીવને મળીજાય
.                         ………….શ્રધ્ધાને સમજાય જીવનમાં.

===================================

« Previous PageNext Page »