December 10th 2020

પ્રેમ લઇ આવજો

***આના શ્રાપ ના કારણે માતા સીતા અલગ થઇ ગયા હતા પ્રભુ શ્રી રામ થી, નહિ જાણતા હોવ આ કહાનીઓ | Mojilo Gujarati.

.            પ્રેમ લઈ આવજો 
તાઃ૧૦/૧૨/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
અવનીપર મળેલ માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાએ પાવનરાહ મેળવાય
જીવને સંબંધ છે કર્મનો દેહથી,ત્યાં ગત જન્મે કરેલકર્મના બંધન થાય
.....એ પાવનકૃપા મળે પરમાત્માની ,જ્યાં શ્રધ્ધાભાવનાએ દેહથી ભક્તિ થાય.
નિર્મળભાવના રાખતા જીવનમાં,કદી કોઇ ખોટી રાહને જીવથી પકડાય
પરમપ્રેમથી પાવનરાહ મળે સંસારમાં,જે મળેલ દેહને શાંંતિ આપી જાય
મળેલદેહને પવિત્રકર્મની કેડીએ જવા,નિખાલસ પ્રેમ લઈ વ્હેલા આવજો
પરમાત્માની કૃપા મળે દેહને અવનીપર,જે સત્કર્મની પાવનરાહે લઈ જાય
.....એ પાવનકૃપા મળે પરમાત્માની ,જ્યાં શ્રધ્ધાભાવનાએ દેહથી ભક્તિ થાય.
પવિત્રશક્તિશાળી દેહ લઈ દુનીયામાં આવ્યા,જે અનેકનામથી ઓળ્ખાય
ભારતની ભુમીને પવિત્ર કરી ગયા,જે હિંદુધર્મમાં અનેકનામથી મળી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિકરતા જીવનમાં,પવિત્રપ્રેમ જીવને અનંતકૃપા આપીજાય
નિર્મળ ભાવનાથી જીવન જીવતા,જીવનમાં પવિત્રપ્રેમની ગંગા વહેતી જાય
.....એ પાવનકૃપા મળે પરમાત્માની ,જ્યાં શ્રધ્ધાભાવનાએ દેહથી ભક્તિ થાય.
==============================================================

 

December 9th 2020

કુદરતની પકડ

****નર્મદા ડેમનાં 23 દરવાજા ખોલાતા ત્રણ જિલ્લાના નદી કિનારાના ગામો એલર્ટ પર |  Webdunia Gujarati****
,             કુદરતની પકડ              
તાઃ૯/૧૨/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયની સાંકળ નાછટકે કોઇથી,કે જગતમાં કોઇ જીવથી દુર રહેવાય
અજબકૃપા પરમાત્માની અવનીએ,સતયુગ કળીયુગની કાતરઍ કહેવાય
....એ લીલા સમયની દુનીયાપર ચાલે,જે મળેલદેહના સુખદુઃખનો પકડ થઈ જાય.
પરમાત્માએજ લીધેલ દેહ ભારતમાં,જે દુનીયામાં પવિત્રભુમી કરી જાય
આંગળી ચીંધે દેહને પાવનકર્મનીજ,એ જન્મમરણના બંધનથીજ દેખાય
મળેલદેહને કર્મનોસંબંધ જેવર્તનથી દેખાય,જે મળેલદેહથી કર્મ થઈજાય
પવિત્રદેહથી પરમાત્માની ક્રુપા મળે,હિંદુ ધર્મમાં સાધુસંતથી ઓળખાય
....એ લીલા સમયની દુનીયાપર ચાલે,જે મળેલદેહના સુખદુઃખનો પકડ થઈ જાય.
અવનીપર ભારત પવિત્રભુમી છે,જ્યાં પરમાત્માના દેહને દેવથીજ પુંજાય
પ્રભુએ લીધેલદેહને કર્મનો સંબંધઅડે,જે માનવદેહના કર્મથીજ થઈ જાય 
સંસારની સાંકળનો સ્પર્શ છે પવિત્રદેહથી, જીવોને આંગળી ચીંધી જાય
જન્મમળે જીવને કર્મનાસંબંધે જીવનમાં,પ્રભુકૃપાએ મુક્તિમાર્ગે દોરી જાય
....એ લીલા સમયની દુનીયાપર ચાલે,જે મળેલદેહના સુખદુઃખનો પકડ થઈ જાય.

*****************************************************************
December 9th 2020

શ્રી લક્ષ્મી માતા

**********
.             શ્રી લક્ષ્મી માતા
તાઃ૯/૧૨/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પવિત્રદેહ લીધો ભારતની એ ભુમી પર,જે માતા લક્ષ્મીથી ઓળખાય
શ્રી વિષ્ણુ ભગવાનની પાવનપત્ની,જેમનીકૃપાએ સુખશાંંતિ મળી જાય
....એજ માતા ધનલક્ષ્મી છે અવનીપર,જે જીવોને પાવનરાહે જીવન આપી જાય.
જીવને મળેલદેહ એ કર્મનો સંબંધ છે,એ જીવને દેહ મળતાજ દેખાય
મળેલ જન્મને ઉંમરનો સંબંધ દેહથી,જે સમયસંગે સમજીને જ ચલાય
પરમકૃપાળુ માતા લક્ષ્મીછે જીવનમાં,એ દેહપર ધનની કૃપા કરી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા માતાની,જીવનમાં નાકોઇ તકલીફ મેળવાય
....એજ માતા ધનલક્ષ્મી છે અવનીપર,જે જીવોને પાવનરાહે જીવન આપી જાય.
પવિત્ર કૃપાળુ માતા છે,સંગે પતિદેવ શ્રીવિષ્ણુ ભગવાનનો પ્રેમ મેળવાય
કુદરતની આ કૃપા ભારત દેશપર,જ્યાં પરમાત્મા અનેક જન્મ લઈ જાય
મળેલદેહને ના કોઈ સમય સ્પર્શે,જ્યાં નિર્મળ ભાવનાથી જીવન જીવાય
પવિત્ર ધર્મ હિંદુ છે જગતમાં,જેમાં અનેક પવિત્રદેહોનો સંગ મળી જાય
....એજ માતા ધનલક્ષ્મી છે અવનીપર,જે જીવોને પાવનરાહે જીવન આપી જાય.
***************************************************************
December 7th 2020

હરહર ભોલે

        ભોલેનાથ-hashtag på Twitter
.             .હરહર ભોલે

તાઃ૭/૧૨/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હરહર ભોલે મહાદેવ સંગે,શ્રધ્ધાએ ૐ નમઃ શિવાય પણ બોલાય
માતાપાર્વતીના એ જીવનસાથી,જગતમાં માતા પાર્વતીપતિ કહેવાય
....એ પવિત્રદેહ પરમાત્માએ લીધો ભારતમાં,જે શંકર ભગવાનથી ઓળખાય
હિમાલયનો સાથ મળ્યો જીવનમાં,જ્યાં પાર્વતી જીવનસંગીની થાય
અજબ શક્તિશાળી છે શ્રીભોલેનાથ,જે પવિત્ર ગંગાને વહાવી જાય
જન્મમરણનો સંબંધ જીવને,જે મળેલ દેહને સંબંધથી સમજાઈ જાય
હરહર મહાદેવ સંગે શીવલીંગપર,શ્રધ્ધાભક્તિથી દુધની અર્ચના થાય
....એ પવિત્રદેહ પરમાત્માએ લીધો ભારતમાં,જે શંકર ભગવાનથી ઓળખાય
ગજાનંદ ગણેશની ઓળખાણ થઈ,જે માતાપાર્વતીના સંતાન કહેવાય
મળેલ આશિર્વાદ ગણેશજીનો દેહને,એ જીવનમાં પાવનકર્મથી દેખાય
શ્રી શિવજીના બીજા સંતાન હતા,જેને જગતપર કાર્તિકભાઈ કહેવાય
પવિત્રકુળને આગળ લેતા,માતા પાર્વતીની અશોકસુંદરી દીકરી થાય
....એ પવિત્રદેહ પરમાત્માએ લીધો ભારતમાં,જે શંકર ભગવાનથી ઓળખાય
શ્રધ્ધાભક્તિની પવિત્રરાહ મળે દેહને,જ્યાં શ્રી ભોલેનાથની કૃપા થાય
માનવદેહ એ ગતજન્મે થયેલ કર્મનો સંબંધ,જે દેહ મળતા જ દેખાય
પવિત્ર ગંગા નદીને વહાવવા,ભગવાન શિવનો દેહ લઈને આવી જાય
જગતમાં પવિત્રભુમી ભારતનેકરવા,પરમાત્મા અનેકદેહે દર્શનઆપીજાય
....એ પવિત્રદેહ પરમાત્માએ લીધો ભારતમાં,જે શંકર ભગવાનથી ઓળખાય
************************************************************

	
December 6th 2020

જય દુર્ગામાતા

   કાલરાત્રિએ દેવી શા માટે કહેવાયા મહિષાસુર મર્દિની જાણો અહિં - Sandesh
            જય દુર્ગામાતા   
તાઃ૬/૧૨/૨૦૨૦            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે દુર્ગામાતાની ભક્તને,જ્યાં શ્રધ્ધાભાવનાથી માતાને વંદન થાય
ઉજવળ જીવનની રાહ મળે જીવનમાં,પાવનકર્મનો સંગાથ જીવને આપી જાય
.....એજ કૃપા થઈ દુર્ગા માતાની,જે નવ સ્વરૂપથી હિંદુ ધર્મમાં દર્શન કરાવી જાય.
અજબલીલા માતાની અવનીપર,સમયસંગે સમજાય જે મહિષાસુરને મારી જાય
પવિત્રરાહે જીવન જીવવા આંગળી ચીંધે,જે મળેલ દેહને પવિત્રકર્મ કરાવી જાય
જીવને મળે દેહ જગતપર જે થયેલ કર્મથી,અવનીપરના સંબંધે જ મળતો જાય
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ દુર્ગામાતાનુ પુંજન કરાય
.....એજ કૃપા થઈ દુર્ગા માતાની,જે નવ સ્વરૂપથી હિંદુ ધર્મમાં દર્શન કરાવી જાય.
નવદુર્ગાના નવ સ્વરૂપને નવરાત્રીના પ્રસંગે,ગરબા ગાઈ માતાને પ્રેમથી પુંજાય
દુર્ગામાતાના આસ્વરૂપો હિંદુ ધર્મને પ્રસરાવી,મળેલદેહને પાવનરાહ આપી જાય
જગતપર પાવનધર્મમાં ભારતદેશમાં જન્મ લઈ,અનેક પવિત્રદેહથી દર્શન દઈજાય
પવિત્ર સ્વરૂપ લીધુ અવનીપર,એ માતા દુર્ગાના નામથી ભારતમાં પુંજન કરાય
.....એજ કૃપા થઈ દુર્ગા માતાની,જે નવ સ્વરૂપથી હિંદુ ધર્મમાં દર્શન કરાવી જાય.
##################################################################

	
December 5th 2020

કલમની કૃપા

   વસંત પંચમી 2020,પૂજા મુહૂર્ત અને મહત્વ વિષે જાણો… - Family Circle Time
.             કલમની કૃપા      

તાઃ૫/૧૨/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે અનેકરાહેજ દેહને મળતી જાય
મળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,એ પરમાત્માની કૃપાએ મેળવાય
.....પવિત્રરાહ પકડેલ કલમથી વહીં જાય,જે વાંચકોને અનેત આનંદે આપી જાય.
માતા સરસ્વતીની કૃપા મળે કલમપ્રેમીઓને,એમાતાને વંદનથી મળી જાય
કલમથી રચેલ રચનાઓ જીવનમાં,અનેકને પાવનરાહે સમજણ આપી જાય
સમયની સંગે સમજીને ચાલતા કલમપ્રેમીઓ,દુનીયામાં લેખકથી ઓળખાય
મળેલ માનવદેહ પર કલમની કૃપા થાય,જે સમયસંગે દેહને સમજાઈ જાય
.....પવિત્રરાહ પકડેલ કલમથી વહીં જાય,જે વાંચકોને અનેત આનંદે આપી જાય.
કલમપ્રેમીઓનો પ્રેમ સૌને પાવનરાહે મળી જાય,ના કોઇજ અપેક્ષા રખાય
સુંદર રચના કલમથી કરે અવનીપર,જે અનેક રીતે કલાકારોનેય દોરી જાય
અવનીપર અનંત કૃપાળુ એ માતા છે,એ શ્રધ્ધા ભાવનાથી સૌને પ્રેરી જાય
મોહ માયા કે અભિમાનના નાસંબંધ જીવનમાં,એ લખેલ રચનાથીજ દેખાય 
.....પવિત્રરાહ પકડેલ કલમથી વહીં જાય,જે વાંચકોને અનેત આનંદે આપી જાય.

****************************************************************



 

December 3rd 2020

ભક્તિની ભાવના

*****પુરુષોત્તમ (અધિક માસ) માસનું મહત્ત્વ | Gujarat Times*****

.           .ભક્તિની ભાવના
તાઃ૩/૧૨/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનરાહ મળે જીવનમાં મળેલદેહને,જે પવિત્રરાહે જીવન જીવતા સમજાય
કર્મના સંબંધ છે જીવને મળેલ દેહને,એ જીવને જન્મમરણથીજ અનુભવાય
....એ માનવદેહને પાવનરાહની પ્રેરણા થાય,જે નિર્મળભક્તિની ભાવનાથી મેળવાય.
કુદરતની પાવનલીલા અવનીપર પ્રસરી,જે જીવના દેહને ભક્તિરાહ દઈ જાય
મળેલદેહને શ્રધ્ધાભાવથી પરમાત્માની,ભક્તિ કરતા જીવનમાં સુખ મળી જાય
ના મોહમાયાના વાદળ વરસે જીવનમાં,પવિત્રસંતને પ્રેમથી વંદન કરાવી જાય
માનવદેહને સંસારમા ને સમાજમાં,અદભુતપ્રેમ મળે દેહને એ પાવનકૃપા થાય
....એ માનવદેહને પાવનરાહની પ્રેરણા થાય,જે નિર્મળભક્તિની ભાવનાથી મેળવાય.
અવનીપરના એ દેહને પવિત્રકર્મની રાહ મળે,જ્યાં પરમાત્માની પાવન કૃપા થાય
નિર્મળ ભાવનાથી પરમાત્માનુ પુંજન કરતા,ના કોઇ અપેક્ષાના વાદળ અડી જાય
પ્રેમની પાવનરાહે જીવતા દેહપર,અનંત નિર્મળપ્રેમની વર્ષા થતા આનંદ મળીજાય
એજ અનંતકૃપા સંત જલાસાંઇની,જે પવિત્ર નિર્મળ ભાવથી ભક્તિ કરાવી જાય
....એ માનવદેહને પાવનરાહની પ્રેરણા થાય,જે નિર્મળભક્તિની ભાવનાથી મેળવાય.
******************************************************************
December 2nd 2020

પાવનકૃપા મળે

.            . પાવનકૃપા મળે           

તાઃ૨/૧૨/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરતા જીવનમાં,લક્ષ્મીમાતાની પાવનકૃપા મળી જાય
પવિત્ર નિર્મળ જીવનનીરાહ મળે,જે જીવનમાં નાકોઇ અપેક્ષા અડી જાય 
....અનંતકૃપાળુ છે લક્ષ્મીમાતા અવનીપર,જે વિષ્ણુભગવાનની જીવનસંગીની કહેવાય.
પવિત્ર ભારતની ધરતીપર દેહ લઈને આવ્યા,જગતમાં લક્ષ્મીમાતા કહેવાય 
પરમાત્માની પ્રેરણાથી અવનીપર આવ્યા,ધરતીપર ધનલક્ષ્મીથી ઓળખાય
મળેલ માનવદેહને ધાર્મીક પ્રેરણા મળે,જે જીવનમાં સુખશાંંતિ આપી જાય
અદભુત કૃપા છે માતાની જગતમાં,એ તેમની પાવનકૃપા જેદેહને મળી જાય
....અનંતકૃપાળુ છે લક્ષ્મીમાતા અવનીપર,જે વિષ્ણુભગવાનની જીવનસંગીની કહેવાય.
સવારસાંજ પારખીને જીવતા કર્મઅડે દેહને,એ માનવીને સમયસંગે લઈજાય
અજબલીલા પરમાત્માની ધરતીપર,જે જીવને મળેલદેહના વર્તનથી સમજાય
પાવનકૃપા મળે મારા વ્હાલા લક્ષ્મીમાતાની,જે ભક્તોના કુટુંબને મળી જાય
પરમકૃપા મળી ભારતની ધરતીને,જે પરમાત્માના અનેકદેહથી સમજાઈ જાય
....અનંતકૃપાળુ છે લક્ષ્મીમાતા અવનીપર,જે વિષ્ણુભગવાનની જીવનસંગીની કહેવાય.
*****************************************************************
December 1st 2020

સાહિત્ય સરીતા

.GSS Logo

            સાહિત્ય સરીતા
તાઃ૧/૧૨/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકૃપા મળી માતા સરસ્વતીની,જે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓથી દેખાય
પવિત્રપ્રેમની રાહ પકડીને ચાલતા,આજકાલમાં ના અભિમાન કદી દેવાય
.....એવા પ્રેમાળ હ્યુસ્ટનના કલમપ્રેમીઓ,સાહિત્યસરીતાને જગતમાં વહેવડાવી જાય.
સમયસંગે કલમપકડીને ચાલતા,માતાની અનંતકૃપા જે પ્રેરણા આપી જાય
શ્રધ્ધા રાખતા પ્રેરણામળે જીવને,જે સમયસંગે કલમથી રચનાઓ કરીજાય
અમેરીકાની ધરતીપર ગુજરાતી ભાષા લઈ,ગુજરાતીઓ હ્યુસ્ટનમાં આવ્યા
દુનીયાંમાં સાહિત્યની સરીતા વહેતી કરી,જે વાંચકોને આનંદ આપી જાય
.....એવા પ્રેમાળ હ્યુસ્ટનના કલમપ્રેમીઓ,સાહિત્યસરીતાને જગતમાં વહેવડાવી જાય.
ઉજવળ રાહ મળી કલમની પ્રેમીઓને,જે માતાની પવિત્રકૃપાથીજ મેળવાય
મળેલદેહની માનવતા પ્રસરે હ્યુસ્ટનમાં,જે સમયસંગે મીટીંગમાં મિલન થાય
અદભુત આનંદની ક્રૂપા મળી,જે પવિત્ર લેખનના વાંચનથી સૌને મળી જાય
એજ અનંતપ્રેમ માતાનો,જે ગુજરાતી સાહિત્ય સરીતાથી આનંદે આપી જાય
.....એવા પ્રેમાળ હ્યુસ્ટનના કલમપ્રેમીઓ,સાહિત્યસરીતાને જગતમાં વહેવડાવી જાય.
*****************************************************************
      ગુજરાતી કલમપ્રેમીઓની સરીતાને માતા સરસ્વતીની કૃપાએ ગુજરાતીઓ
હ્યુસ્ટ્નમાં લઈ આવ્યા જે પકડેલ કલમથી પ્રેરણાદાયી લેખોથી આનંદ આપી જાય
અને માતાની કૃપાએ દર મહિને સાહિત્ય સરીતાને વહેવડાવવા મીટીંગ કરે છે જે
મને ખુબજ આનંદ આપી જાય.
    લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત કલમપ્રેમીઓને માતાની પ્રેરણા મળે તેજ ઇચ્છા 
સહિત જય જલારામ
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
  
 

 

« Previous Page