August 20th 2021

પવિત્રકૃપા મળે

 ####
.          .પવિત્રકૃપા મળે

તાઃ૨૦/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધા સંગે વિશ્વાસરાખીને પ્રભુની પુંજા કરી,ધુપદીપથી આરતી કરાય
મળે દેહને પવિત્રકૃપા પરમાત્માની,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
....એ પરમાત્માના દેહની કૃપા કહેવાય,જે જીવને નાકોઇ તકલીફ અડી જાય.
પવિત્ર શ્રાવણ માસમાં શ્રધ્ધાભાવનાથી,ભગવાનની ઘરમાંજ પુંજા કરાય
પરમ શક્તિશાળી પ્રભુ છે,જે પવિત્ર ભારતમાં અનેકદેહથી જન્મી જાય
કુદરતનીકૃપા એ જીવપર થાય,જે માનવદેહથી ભારતમાં જન્મઆપીજાય
મળેલદેહને સત્કર્મનો સાથમળતા,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રખાય
....એ પરમાત્માના દેહની કૃપા કહેવાય,જે જીવને નાકોઇ તકલીફ અડી જાય.
જગતમાં પવિત્રદેશ ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
અનેકદેહમાં શંકરભગવાન પણ કૃપાળુછે,જે હિંદુધર્મમાં પવિત્ર કૃપા થાય
પવિત્રધર્મને સમજીનેચાલતા માનવદેહપર,પવિત્રકૃપાથાય જે દેહનેસમજાય
અવનીપરના આગમનવિદાયને છોડી દે,જે કૃપાએ જીવનેમુક્તિમળી જાય
....એ પરમાત્માના દેહની કૃપા કહેવાય,જે જીવને નાકોઇ તકલીફ અડી જાય.
==============================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment