March 12th 2022
. નિખાલસ પ્રેમમળે
તાઃ૧૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહપર પવિત્રકૃપા મળે,જે કલમનીકેડીને પકડાવી જાય
પવિત્રકૃપાળુ સરસ્વતીમાતા અવનીપર,એ પવિત્રપ્રેમથી લખાઈ જાય
.....પવિત્ર નિખાલસ પ્રેમ મળે કલમપ્રેમીઓનો,એ પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પાવનકૃપા મળે માતાની,જે શ્રધ્ધાથી કલમને પકડાઈ જાય
સમયની સાથે ચાલતા મળેલદેહપર,પાવનકૃપાથી મગજને પ્રેરણાથાય
જીવનમાં નાકોઇ આશા અપેક્ષા રહે,એ માતાની પવિત્રકૃપા કહેવાય
નિખાલસ ભાવનાથી જીવન જીવતા,મળેલદેહને પાવનરાહ મળી જાય
.....પવિત્ર નિખાલસ પ્રેમ મળે કલમપ્રેમીઓનો,એ પવિત્રરાહે જીવાડી જાય.
શ્રધ્ધારાખીને કલમપકડતા જીવનમાં,માતાનીકૃપાએ પ્રેરણા મળતી જાય
અદભુતકૃપાળુ સરસ્વતીમાતા છે,જે માનવદેહને કલમની કૃપાકરી જાય
કલમની પવિત્રકૃપાએ થયેલ રચનાથી,મળેલદેહનુ સન્માન કરાવી જાય
એ પાવનરાહ મળી કલમની જીવનમાં,જે થયેલ રચનાને પ્રેમથી વંચાય
.....પવિત્ર નિખાલસ પ્રેમ મળે કલમપ્રેમીઓનો,એ પવિત્રરાહે જીવાડી જાય.
==============================================================
No comments yet.