October 11th 2012

સફળ જીવન

.                        સફળ જીવન

તાઃ૧૧/૧૦/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સફળ જીવનની એક છે સીડી,સાચી ભક્તિએ મેળવાય
મનમાં રાખી શ્રધ્ધા કરતાં,જલાસાંઇની કૃપા થઇ જાય
.                        ……………….સફળ જીવનની એક છે સીડી.
દેહમળતાં અવનીએ જીવને,જીવનમાં અનેકમાર્ગ દેખાય
કયા માર્ગથી ક્યાં જવાય,તે સાચી પ્રભુકૃપાએજ સમજાય
અવનીપરનું આગમન જીવનુ,કર્મના બંધનથીજ સંધાય
ઉજ્વળ જીવનનીરાહ મેળવવા,જગે પ્રભુભક્તિ થઈજાય
.                      …………………..સફળ જીવનની એક છે સીડી.
માનવી મનને માયા મળે,જ્યાં જીવે કળીયુગી દ્રષ્ટિ થાય
સ્નેહની સાંકળ પરમાત્માથી સાંધતા,જીવને શાંન્તિ થાય
મળે જીવને માર્ગભક્તિનો,જ્યાં માબાપનોપ્રેમ મળીજાય
આધી વ્યાધીની અવગણના થાય,જ્યાં કૃપા પ્રભુની થાય
.                     ………………….. સફળ જીવનની એક છે સીડી.

====================================

October 10th 2012

सफळताका द्वार

.                      सफळताका द्वार

ताः१०/१०/२०१२                        प्रदीप ब्रह्मभट्ट

करना ऐसा काम जीवनमें,बुराना हो जीसमें नाम
प्रेमभावनासंग रखनेसे,सफळताके खुलजाये द्वार
.                     …………………करना ऐसा काम जीवनमें.
अनेक राहे मिलती जीवको,संभलके राह पकडना एक
संग मीलेगा संगाथीयोका,वर्हा रहेगा तेरा जीवन नेक
.                      ………………..करना ऐसा काम जीवनमें.
सुखदुःख है संसारकी झंझट,ना छुट पाया जगमे जीत
प्रेमभावकी  केडी निखालस,मिल जायेगी सच्ची प्रीत
.                     …………………करना ऐसा काम जीवनमें.
अंतरमें अभीलाषा रखके,ना काम कोइ पहोंचेगा छेक
उज्वलताकी राह मिल जायेगी,जहां होती एक ही टेक
.                     …………………करना ऐसा काम जीवनमें.
महेनतकासंग रखके जीवनमें,उज्वळ होते काम अनेक
ना आशा ना अपेक्षा रहेगी,मिल जाती जहां सीध्धी एक
.                   …………………..करना ऐसा काम जीवनमें.
मन वचन और कर्मका बंधनतो ,रहेता  देहके संग जरूर
भक्ति प्रेमकी केडी पकडके,सब रहेता जीवकी राहसे दुर
.                    ………………….करना ऐसा काम जीवनमें.

*****************************************

October 10th 2012

કુ કર્મ

.                        કુ કર્મ

તાઃ૧૦/૧૦/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતા કેડી માનવતાની,મળેલ જન્મ સફળ થઈ જાય
શ્રધ્ધારાખતાં સ્નેહમળે,જે જીવથી થયેલકર્મથીલેવાય
.                     ………………….મળતા કેડી માનવતાની.
અવની પરનું આગમન જગતમાં,જન્મ મળતા દેખાય
દેહનીમાયા એબંધન જીવના,જગતપર કર્મથી બંધાય
મારુ તારુની એક  નાની કેડી,જીવને કુ કર્મ કરાવી જાય
બંધન મળે અવનીના  જીવને,જે મળતા દેહથી દેખાય
.                   ……………………મળતા કેડી માનવતાની.
સુ કર્મ છે નિર્મળ કેડી,જીવનમાં નિખાલસતા મળી જાય
પ્રભુકૃપાએ પામી લેતા,એ જીવનો જન્મસફળ થઈ જાય
કળીયુગની કેડીમાંરહેતા,કુકર્મનો સંબંધપણ સ્પર્શી જાય
મુંઝવણ પણમળતી ડગલેપગલે,એજ તેની કેડી કહેવાય
.                  …………………….મળતા કેડી માનવતાની.

++++++++++++++++++++++++++++++++

October 9th 2012

સંકેત મળે

.                    .સંકેત મળે

તાઃ૯/૧૦/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુ પ્રેરણા મળે ભક્તિએ,જ્યાં ઘરમાંમનથી ભક્તિથાય
સાચી માનવતાનો સંકેત મળે,જ્યાં કામ નિખાલસ થાય
.                    …………………. પ્રભુ પ્રેરણા મળે ભક્તિએ.
જીવનમાં છે અનેક કેડીઓ,સમયે સમયે એ મળી જાય
ઉજ્વળતાની કેડી મળે દેહને,જ્યાં  શ્રધ્ધાએ કામ થાય
કુદરતનોસંકેત મળેજીવને,સાચીમાનવતાએ સહેવાય
સાથ મળે જીવનમાં સૌનો,સંગ જલાસાંઇનો મળી જાય
.                     …………………પ્રભુ પ્રેરણા મળે ભક્તિએ.
લેખ લખેલ એ કર્મના બંધન,ના કોઇ જીવથી છટકાય
સરળતા જીવનમાંમળે,જ્યાં જીવેભક્તિભાવ મેળવાય
ના લખાણી મોહ કે માયા,જે કળીયુગી બંધન કહેવાય
શાંન્તિનો સંકેત મળે જીવને,જ્યાં નિર્મળભાવના હોય
.                  …………………. પ્રભુ પ્રેરણા મળે ભક્તિએ.

+++++++++++++++++++++++++++++++++++++

October 8th 2012

ભક્તિ

.                      .ભક્તિ

તા૮/૧૦/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિમાં તો અજબ શક્તિ છે,જીવ દુઃખસાગરતરી જાય
મનની શાંન્તિ માગતા પહેલા,પ્રભુ કૃપાએજ મળી જાય
.               …………………..ભક્તિમાં તો અજબ શક્તિ છે.
નિરાધારને આધાર  મળીજાય,મળે સુખસાગરનો સાથ
શીતળજીવન સાર્થકલાગે,જ્યાંસાચી ભક્તિ થાય આજ
પરમકૃપાળુ છે અંતરયામી,ભક્તિ પારખીદેતા એ સાથ
જલાસાંઇની જ્યોત નિરાળી,આપી જાય ભક્તિ અપાર
.                 ………………….ભક્તિમાં તો અજબ શક્તિ છે.
વ્યાધી વંટોળને દુરકરે,જ્યાં મનથી પકડે ભક્તિનો હાથ
આફતનેએ આંબીલે,ને જીવને દઇદે કૃપાએ રાહત આજ
ભક્તિમાં છે રંગ અનેરો જગે,ઉજ્વળ જીવન આપી જાય
સુખશાંન્તિની કેડી મળે,જીવનમાં ના દુઃખ કદી મેળવાય
.               ……………………ભક્તિમાં તો અજબ શક્તિ છે.

++++++++++++++++++++++++++++++++

October 8th 2012

ભોળા ભોલેનાથ

 

 

 

 

 

 

 

 

.

.

.

 

.                     .ભોળા ભોલેનાથ

તાઃ૮/૧૦/૨૦૧૨     (સોમવાર)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યા ભોળાના ભગવાન,જગતમાં ભોલેનાથ કહેવાય
માતા ગૌરીના ભરથાર,સારી જગત સૄષ્ટિના તારણહાર
.                   ………………………આવ્યા ભોળાના ભગવાન.
ત્રિશુળ ધારી છે અજબ અવિનાશી,પ્રેમ ભક્તિએ હરખાય
સ્મરણૐ નમઃ શિવાયનુંકરતાં,મળેલજન્મસફળ કરીજાય
વિધી વિધાતા ગણેશજીના,એ વ્હાલા પિતા પણ કહેવાય
ગૌરીનંદન ભજન કરતાં,જીવના કર્મના બંધન છુટી જાય
.                        ……………………આવ્યા ભોળાના ભગવાન.
માયા મને પ્રભુ શિવજીની,મને પ્રેમ પિતાનો આપી જાય
પાર્વતીમાતા પ્રેમ આપે માનો,સંતાનને વ્હાલ કરી જાય
ગંગાધારી છે અવિનાશી,સકળ સૃષ્ટિના છે એ પાલનહાર
અવનીપરના બંધન છોડીને,જીવનેભક્તિએ સાચવીજાય
.                        ……………………આવ્યા ભોળાના ભગવાન.

#########################################

October 8th 2012

પ્રીત મળે

.                     .પ્રીત મળે

તાઃ૮/૧૦/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગણીના બે શબ્દ બોલીને,જીવ અંતે માગણીએ લબદાય
સાચી શ્રધ્ધા રાખી  જીવતા,ના માગણીએ પ્રીત મળી જાય
.                        …………………..માગણીના બે શબ્દ બોલીને.
ઉજ્વળ જીવન મળે જીવને,જ્યાં જીવે રાહ સાચી મળી જાય
અન્યોઅન્યની જ્યોત સમજતાં,સાચોપ્રકાશ જીવનમાં થાય
સંગાથીનો સાથ મેળવતાં જીવને,સાચી શ્રધ્ધા  દેખાઇ જાય
આવી આંગણે પ્રીત મળતાં,મળેલ જીવન ઉજ્વળ થઈ જાય
.                    ………………………માગણીના બે શબ્દ બોલીને.
મોહમાયાનો દેહને સંબંધ,કળીયુગની એજ પકડ કહેવાય
જીવને બંધન જ્યાં ભક્તિસંગ,ત્યાં કૃપા જલાસાંઇની થાય
સુખદુઃખ તોછે કર્મનાબંધન,જે સાચી પ્રભુભક્તિએ છોડાય
પરમપ્રેમીનીકૃપા મળતાજગે,જીવપર પ્રીતની વર્ષા થાય
.                      …………………….માગણીના બે શબ્દ બોલીને.

*********************************************

October 7th 2012

સુર્યનો ઉદય

.                        સુર્યનો ઉદય

તાઃ૭/૧૦/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર્યદેવની પહેલી કિરણે,દેહને સ્વાસ્થ્યસારુ મળીજાય
પુંજન અર્ચન પ્રેમે કરતાં,મળેલ જન્મ સફળ થઇ જાય
.                       …………………સુર્યદેવની પહેલી કિરણે.
શ્રધ્ધા રાખી સુર્યસ્નાન કરતાં,દેહને રોગમુક્તિ મળી જાય
સુર્ય કિરણને સમજી લેતાં,નાદવા કે ગોળી દેહને ભટકાય
પ્રકાશ આંખોને તેજ આપે,જે દ્રષ્ટિને નિર્મળતા આપી જાય
દુર નજીકની પરખ મળે જ્યાં,ત્યાં મનથી બધુંજ સમજાય
.                       …………………..સુર્યદેવની પહેલી કિરણે.
પ્રભાત પહોરે જગ ઉજ્વળ બને,જ્યાં સુર્યનો ઉદય થાય
અનેક જીવોને સાચીરાહ મળે,ને મળેલ જન્મ સાર્થકથાય
સંધ્યા કાળને સમજી લેતાં,સંત જલાસાંઇની ભક્તિ થાય
પ્રભાત જેની ઉજ્વળ બને,ના મોહમાયા જીવને ભટકાય
.                       ……………………સુર્યદેવની પહેલી કિરણે.

=====================================

October 6th 2012

જગબંધન

.                     .જગબંધન

તાઃ૬/૧૦/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળ્યો અવનીએ જીવને,જે કર્મની કેડીએજ સમજાય
વિચારના વમળમાં નારહેતા,જીવથી જન્મસફળ મેળવાય
.                   ………………….જન્મ મળ્યો અવનીએ જીવને.
મળતા પ્રેમ માબાપનો,સંતાનનું જીવનઉજ્વળ થઈ જાય
આશીર્વાદ અંતરથી મળતાં,સાચી રાહ જીવને મળી જાય
ઉજ્વળતાના સોપાન મેળવતાં,પાવન કર્મ જીવનમાંથાય
અંતરમાં નાકોઇ અભિલાષાઅટકે,નાવ્યાધી કોઇ અથડાય
.                  ………………….જન્મ મળ્યો અવનીએ જીવને.
સફળતાનોસંગ મળતાંજીવને,સિધ્ધિના સોપાન મળી જાય
માગણી પહેલા મળી જાય,એજ કૃપા જલાસાંઇની કહેવાય
શ્રધ્ધા એજ જીવનનો પાયો,જે સાચી ભક્તિથીજ મેળવાય
જન્મમરણના બંધન છુટતાં,જીવને સાચી રાહ મળી જાય
.                  ………………….જન્મ મળ્યો અવનીએ જીવને.

=======================================

October 6th 2012

જન્મદીન પુ.લક્ષ્મીબાનો

.

.

 

 

 

 

 

 

 

 

 

.

.                     જન્મદીન પુ. લક્ષ્મીબાનો

તાઃ૬/૧૨/૨૦૧૨   (૬/૧૨/૧૯૩૩)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલાસાંઇની જ્યોત પકડીને,આવ્યા પુ.લક્ષ્મીબા હ્યુસ્ટન
સરળ જીવનમાં ભક્તિનાસંગે,એ વિરપુર લાવ્યા અહીંયા
.                              ………………….જલાસાંઇની જ્યોત પકડીને.
વિસંજીભાઇના એ વ્હાલી દીકરી,ને માતા કેસરબેનનુ એ  હેત
ભક્તિપ્રેમનો સંગમળ્યો માબાપથી,નામ લક્ષ્મીબા મળ્યુ એક
ઉજ્વળ સોપાનો મળ્યા જીવને, જ્યાં લીધી જીવે ભક્તિની ટેક
જલાસાંઇના મંદીર બનાવ્યા,અનેક જીવોને દીધી ભક્તિ પ્રીત
.                            ……………………જલાસાંઇની જ્યોત પકડીને.
આજકાલનો તો સંગ દેહને ,ના જીવને દે કોઇ પળે એ સહવાસ
ઓગણીસો તેત્રીસમાં જન્મ્યા,આજે બે હજાર બાર પણ જોવાય
પતિ બેચરદાસનો સંગ અનેરો,અનંત પ્રેમ આજીવન મેળવાય
અદભુતકૃપા જલાસાંઇની થતાં,હજુય વર્ષોવર્ષ સુખેથી જીવાય
.                             ………………….. જલાસાંઇની જ્યોત પકડીને.
=====================================
.         .પુજ્ય લક્ષ્મીબાનો આજે ૭૯મો જન્મદીન છે.સંતપુજ્ય જલારામબાપા અને
સંત પુ.સાંઇબાના વ્હાલા ભક્ત તરીકે અમેરીકામાં પ્રથમ બંન્ને સંતોનું એક મંદીર
હ્યુસ્ટનમાં કરી અનેક ભક્તોને આ સંતોની સેવા કરાવી તક અને શાંન્તિ આપી છે.
આજે તેમના જન્મ દીવસે અમે જલાબાપા અને સાંઇબાબાને પ્રાર્થના કરીએ કે
તેમને જીવનમાં તનમન અને ધનથી શાંન્તિ આપી જીવને તેમના ચરણમાં રાખે.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા રમા,રવિ,હિમા,દીપલ અને નિશીતકુમારના જય જલારામ
અને પ્રેમથી  Happy Birthday to Lakshamiba.

« Previous PageNext Page »