March 9th 2022
. .પ્રભુની પવિત્રકૃપા
તાઃ૯/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને માનવદેહ મળે,જે જીવને સમયસાથે લઈ જાય
મળેલદેહને જીવનમાં પાવનરાહમળે,જ્યાં શ્રધ્ધાથી જીવન જીવાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને,જે પવિત્રરાહે કર્મ કરાવી જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇથી દુર રહેવાય
કળીયુગની કાતરથી બચવા મળેલદેહથી,ઘરમાં પ્રભુની પુંજા કરાય
જગતમાં નાકોઇનીય તાકાત કે સમયથી,દુર રહીને જીવન જીવાય
પ્રભુની પવિત્રકૃપામળે મળેલદેહને,જીવનમાં ભક્તિરાહે જીવાડીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને,જે પવિત્રરાહે કર્મ કરાવી જાય.
જગતમાં અદભુતકૃપા ભગવાનની,જે જીવને જન્મમરણથી છોડીજાય
જીવનમાં દેહને નાકોઇ અપેક્ષા રખાય,કે ના મોહમાયા અડી જાય
પાવનરાહે જીવન જીવવા મળેલદેહથી,પ્રભુની ધુપદીપથી પુંજા કરાય
જીવને માનવદેહમળે એપાવનકૃપા પ્રભુની,જે પાવનરાહે જીવાડીજાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને,જે પવિત્રરાહે કર્મ કરાવી જાય.
#############################################################
No comments yet.