March 16th 2022

પવિત્રપ્રેમની રાહ

  Bhakti : ધરતી ઉપર પ્રભુનું નામ સદાયને માટે અમૃત સમાન છે | The name of the Lord on earth is like nectar forever | TV9 Gujarati
 .           પવિત્રપ્રેમની રાહ

તાઃ૧૬/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રેમની પાવનરાહ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
સમયની સાંકળ નાપકડાય કોઇથી,એ કળીયુગની સાથે ચાલતા જીવાય   
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,એ ભગવાનની પાવંનકૃપા કહેવાય.
પવિત્રરાહે જીવનજીવવા શ્રધ્ધાભાવનાથી,ભક્તિકરતા પ્રભુનીકૃપા મળીજાય
જીવનમાં માનવદેહને કર્મનોસંબંધ મેળવાય,જે સમયનીસાથે દેહનેલઈજાય 
પ્રભુનો પવિત્રપ્રેમ મળે જીવનાદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા થાય
લાગણીમોહને દુર રાખવા પ્રભુને વંદન કરાય,જે જીવનુ રક્ષણ કરી જાય 
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,એ ભગવાનની પાવંનકૃપા કહેવાય.
આજકાલને સમજીને જીવન જીવતા,ના કોઇ તકલીફ કે આફત અડી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં પવિત્રભાવનાથી જીવન જીવાય
મળે સમયે પવિત્રપ્રેમ ભક્તોનો દેહને,એજ પાવનરાહે જીવન જીવાડી જાય 
પ્રભુનાપ્રેમની રાહમળે જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપીજાય 
.....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,એ ભગવાનની પાવંનકૃપા કહેવાય.
=================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment