March 25th 2022
. શ્રધ્ધાનો સંગાથ
તાઃ૨૫/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની મળેલદેહને,જે પાવનરાહે લઈ જાય
જગતમાં જીવને સંબંધ થયેલકર્મનો,જે સમયે દેહ મળતા દેખાય
....પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય.
અવનીપરનુ આગમન એસમયનોસંગાથ,જે જીવને સમયે સમજાય
કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
ભગવાને ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,એ દુનીયામાં પવિત્રધર્મ થઇજાય
....પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય
ભગવાનની કૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતપર પ્રાણીપશુજાનવરઅનેપક્ષી,જેને ના સમયની સમજણ પડે
માનવદેહથી સમયનીસાથે ચલાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
મળેલદેહથી ઘરમાં ધુપદીપ સંગે આરતીકરી,મંત્ર જપીને માળાકરાય
....પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય.
###########################################################
No comments yet.