January 25th 2021

પવિત્ર ભારતદેશ

દેશની શૌર્ય ગાથાને સલામી અર્પણ કરવાનો અવસર એટલે “સ્વાતંત્ર્યદિન પંદરમી ઓગષ્ટ” | Charotar Sandesh | Gujarati News

.           પવિત્ર ભારતદેશ
            (સ્વતંત્ર દીવસ)
તાઃ૨૬/૧/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્રભુમી ભારત છે,જેનો આજે સ્વતંત્ર દીવસ ઉજવાય
પવિત્ર પરમાત્માએ દેહ લીધા,દુનીયામાં ભારતીયો પુંજન કરી જાય
.....એ પવિત્રભુમી ભારતમાં,પરમાત્માની કૃપાએ મને જન્મ મળી જાય
ભારતનો આજે સ્વતંત્ર દીવસ,જે જનગણમન દેશપ્રેમીઓથી ગવાય
દેશના ફ્લેગને સલામકરી દુનીયામાં,પહોચેલ ભારતીયોથી વંદનથાય
પવિત્રદેશમાં જન્મ લઈ ગુજરાતીઓ,જગતમાં મહેનત કરી જીવીજાય
નાકોઇ અપેક્ષા જીવનમાં રાખે,સત્કર્મથી મળેલદેહથી કર્મ કરી જાય 
.....એ પવિત્રભુમી ભારતમાં,પરમાત્માની કૃપાએ મને જન્મ મળી જાય.
પરમાત્માની કૃપા ભારતદેશપર,જ્યાં જન્મલઈ દુનીયામાં કર્મ કરીજાય
ગુજરાતીઓની ગાથા જગતમાં,જે કરેલ કર્મથી સન્માન મેળવી જાય
અમેરીકામાં માનવતાની મહેંક પ્રસરાવા,અનેકકર્મ કરીને જીવી જાય
હિંદુધર્મમાં પવિત્રદેવથી પ્રભુનીકૃપાએ,ભારતને દુનીયામાં પ્રસરાવીજાય 
.....એ પવિત્રભુમી ભારતમાં,પરમાત્માની કૃપાએ મને જન્મ મળી જાય.
ભારતની પવિત્રભુમીને જગતમાં પ્રસરાવી,જે ગુજરાતીઓથી થઈજાય
સ્વતંત્ર દીવસ એસન્માન દેશનુ,જે દુનીયામાં સમયે વંદન કરાવીજાય
અમરગાથા ગુજરાતીઓની દુનીયામાં,મળેલદેહના પવિત્રકર્મથી દેખાય
પાવનકૃપા પરમાત્માની થઈ,જે માનવદેહને સત્કર્મનીકેડી આપી જાય
.....એ પવિત્રભુમી ભારતમાં,પરમાત્માની કૃપાએ મને જન્મ મળી જાય.
********************************************************૮

	
January 24th 2021

પવિત્ર શક્તિશાળી

નવરાત્રિ દરમિયાન જરૂર થી કરવા જોઈએ આ દસ કામ, પ્રાપ્ત થશે માતા ના આશીર્વાદ અને મળશે શુભફળ

.         પવિત્ર શક્તિશાળી  

તાઃ૨૪/૧/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી પરમાત્માની,જે અવનીપર માદુર્ગાથી આવી જાય 
આવ્યા પવિત્રશક્તિશાળી માતા,જે નવદેહલઈ ભક્તોને પ્રેરી જાય
.....હિંદુ ધર્મમાં માનવદેહને પવિત્રરાહ દેતા,પવિત્ર કર્મની રાહ પ્રેરી જાય.
પવિત્ર માતાને શ્રધ્ધાથી વંદન કરે,મળેલદેહને પાવનકૃપા મળી જાય 
નવરાત્રીના નવ દીવસમાં,ગરબે ધુમતા ભક્તોને માદર્શન આપી જાય
માતાએ લીધેલ નવસ્વરૂપ ભારતમાં,જે ધરતીને પાવનપણ કરી જાય
શ્રધ્ધાભક્તિથી પવિત્ર જીવન જીવતાદેહથી,માતાની પરમકૃપા મેળવાય 
.....હિંદુ ધર્મમાં માનવદેહને પવિત્રરાહ દેતા,પવિત્ર કર્મની રાહ પ્રેરી જાય.
પાવનપ્રેમ મળે માતાનો જીવનમાં,જે મારા દેહને પરમશાંંતિ દઈ જાય
માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે નમો નમઃથી,વંદન સંગે પ્રાર્થના કરી પુંજાય
દુર્ગામાતાના નવ સ્વરૂપના મને,નવરાત્રીમાં પવિત્રદર્શન પણ થઈજાય
એ પવિત્રકૃપા અવનીપર માતાની,જે હિંદુધર્મને જગતમાં પાવનકરીજાય 
.....હિંદુ ધર્મમાં માનવદેહને પવિત્રરાહ દેતા,પવિત્ર કર્મની રાહ પ્રેરી જાય.
**********************************************************
January 24th 2021

શ્રધ્ધાથી ભક્તિ

++ હનુમાન જયંતિ: પ્રોફેશન લાઈફમાં લાવવા ઈચ્છો છો બદલાવ તો હનુમાનજીને અર્પિત કરો આ ૫ ચીજો – Fitness Tips++

.           શ્રધ્ધાથી ભક્તિ

તાઃ૨૪/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપાળુ પરમાત્માની પ્રેમથીકૃપા મળે,જે પવિત્રજીવન કરી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા જીવનમાં,માનવદેહને પાવન કૃપા મળી જાય
....એજ સાચી ભક્તિ મળેલદેહની,જે ગતજન્મના થયેલકર્મને દુર કરી જાય.
પાવનકર્મનો સંગાથ મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભાવથી પુંજન થાય
ભજનભક્તિની પાવન કૃપા દેહને,જે અપેક્ષા આફતથી દુર કરી જાય
મળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,એ પવિત્રરાહે કર્મ કરાવી જાય
જગતમાં શ્રધ્ધાભાવથી પ્રાર્થનાકરતા,પવિત્ર હિંદુધર્મની ઓળખાણ થાય
....એજ સાચી ભક્તિ મળેલદેહની,જે ગતજન્મના થયેલકર્મને દુર કરી જાય.
મોહ માયા એ સ્પર્શે દેહને જીવનમાં,એ કળીયુગની અસરથીજ મેળવાય
પાવનરાહનો સંગાથ મળે દેહને,જે મળેલ માનવદેહને ભક્તિ કરાવી જાય
ઉજવળ જીવનની પવિત્રરાહની કેડી,એ શ્રધ્ધાથી ધુપ દીપ પ્રગટાવી જાય
એદેહના પવિત્રકર્મ અવનીપર,જે જીવને આવનજાવનથી મુક્તિ આપીજાય
....એજ સાચી ભક્તિ મળેલદેહની,જે ગતજન્મના થયેલકર્મને દુર કરી જાય.
#############################################################

 

January 23rd 2021

ભજન પ્રેમ

પ્રેમતત્ત્વનું શ્રેષ્ઠ સ્વરૂપ : રાધા-કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિ - Sandesh

.              ભજન પ્રેમ              
તાઃ૨૩/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

રાધેકૃષ્ણ રાધેકૃષ્ણ કૃષ્ણકૃષ્ણ રાધેરાધે,ભજન કરતા ભક્તોથી બોલાય
રામરામની ધુન કરતા તાલી પાડીને,સીતારામ સીતારામ પણ કહેવાય
....એ પવિત્રરાહ ભક્તોને,જે ભક્તિથી ગોવિંદગોપાલા સંગે રાધાજી કહી જાય.
શ્રધ્ધાભાવથી ભક્તિકરતા જીવનમાં,શ્રીરામશ્રીરામ તાલી પાડીને બોલાય 
સીતામાતાનો પાવનપ્રેમ મળે ભક્તોને,જે શ્રીરામ સંગે સીતારામ કહેવાય
પવિત્રકૃપા મળે શ્રી કૃષ્ણની સંગે રાધાની,એ વાંસળી વાગતાજ સંભળાય
દ્વારકાથી દોડી આવ્યા ભક્તોને મળવા,એજ જીવનમાં શાંંતિ આપી જાય
....એ પવિત્રરાહ ભક્તોને,જે ભક્તિથી ગોવિંદગોપાલા સંગે રાધાજી કહી જાય
રામલક્ષ્મણજાનકી સંગે જય બોલો હનુમાન,એ રામના પરમભક્ત કહેવાય
પરમશ્રધ્ધાએ ભક્તિ કરતા ભક્તોને,પ્રેમથી આશિર્વાદ આપના આવીજાય
સીતારામના સ્મરણથી કૃપા કરવા,અયોધ્યાથી સીતા સંગે એ પધારી જાય
પવનપુત્રનો સાથ મળ્યો શ્રીરામને,જે સીતાને લાવવા રાવણનુ દહન કરાય
....એ પવિત્રરાહ ભક્તોને,જે ભક્તિથી ગોવિંદગોપાલા સંગે રાધાજી કહી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

January 23rd 2021

નિખાલસ રાહ

###144.pdf  ###

.           નિખાલસ રાહ            

તાઃ૨૩/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રરાહની આંગળી ચીંધી,જે મને પવિત્રસંત શ્રી મોટાથી દેવાય
જીવનમાં કલમની કેડી પકડી ચાલવા,મને આશીર્વાદ પણ આપ્યા
.....ત્યાંજ મને માતા સરસ્વતીની કૃપા મળી,જગતમાં કલમપ્રેમી કરી જાય.
મળેલદેહને સંબંધ કર્મનો અવનીપર,જે દેહ મળતાજ અનુભવ થાય
પાવનરાહ એજ પરમાત્માની કૃપા,દેહને નિખાલસ રાહ આપી જાય
પવિત્રકલમની રાહમળી દેહને,જે અનેક પ્રેમીઓના પ્રેમથી મળીજાય
જીવનમાં નાકોઇ અપેક્ષારહે,કે ના કદી કળીયુગની માયા અડી જાય
.....ત્યાંજ મને માતા સરસ્વતીની કૃપા મળી,જગતમાં કલમપ્રેમી કરી જાય.
પરમાત્માની કૃપા થઈ દેહપર,જે હરિ ૐ આશ્રમના મોટાથી મેળવાય
મળેલ માનવદેહને નિખાલસ રાહ મળી,જે સમયસંગે ચાલતા સમજાય
પવિત્રકૃપા પુંં.મોટાની આશ્રમથી મળી,એ મળેલદેહની કલમથી દેખાય
કર્મનોસંબંધ એ મળેલદેહને,જે જન્મ મળતાદેહને સંબંધીઓ આપીજાય
.....ત્યાંજ મને માતા સરસ્વતીની કૃપા મળી,જગતમાં કલમપ્રેમી કરી જાય.
#############################################################
January 22nd 2021

પવિત્ર દર્શન

રાશિફળ ૨૩ ઓગસ્ટ : આજે સુર્યદેવ બનાવશે રાજયોગ, ૬ રાશિઓને મળશે ભાગ્યનો સાથ, ચમકી જશે કિસ્મત - Adhuri Lagani

.          .પવિત્ર દર્શન                   

તાઃ૨૨/૧/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપરના દેહને સવારસાંજ મળે,જે પવિત્ર સુર્યદેવથી મળી જાય
જીવનમાં સવાર અને સાંજ મળે,જે તેમના પવિત્ર દર્શનથી મેળવાય
....એ અજબ શક્તિશાળી પરમાત્માનો દેહ છે,જે જગતમાં જીવાડી જાય.
કુદરતની કૃપાને નાકોઇ રોકી શકે,પણ શ્રધ્ધાથી પ્રેમથી વંદન થાય
પાવનકૃપા મળે શ્રધ્ધાથી સુર્યદેવની,જ્યાં પ્રભાતે તેમને અર્ચના કરાય
સવારના સુર્યદેવના પ્રકાશના સ્નાનથી,મળેલ દેહને શક્તિમળી જાય
અવનીના આગમનથી તેમનીકૃપા,અબજો વર્ષોથી દેહ પર થઈ જાય 
....એ અજબ શક્તિશાળી પરમાત્માનો દેહ છે,જે જગતમાં જીવાડી જાય.
માનવ દેહને ભક્તિથી પાવનરાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય
સુર્યદેવના પવિત્રદર્શન સવારસાંજે થાય,એજ દેહને કર્મ કરાવી જાય
જીવનેસંબંધ કર્મનો જેજન્મમરણથી,જીવને આગમનવિદાય આપીજાય
પવિત્રકૃપા સુર્યદેવની મળેદેહને,જે શ્રધ્ધાથી વંદનકરતા કૃપા કરી જાય
....એ અજબ શક્તિશાળી પરમાત્માનો દેહ છે,જે જગતમાં જીવાડી જાય.
*********************************************************

 

January 21st 2021

શેરડી સાંઈબાબા

##શિરડીવાળાં શ્રી સાંઈબાબા##

.          શેરડી સાંઇબાબા

તાઃ૨૧/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભારતની ભુમીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી આવી જાય
પવિત્રદેહ લઈ પાથરીમાં જન્મ્યા,જે શેરડીમાં સાંઈબાબા કહેવાય
....મળેલદેહને પ્રેરણા કરવા શેરડીમાં આવ્યા, જે સત્કર્મની રાહ આપી જાય.
જન્મમરણ એ સંબંધ જીવનો,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
મળેલદેહને સમજણનો સંગાથ મળે,જે અવનીપરના યુગથી સમજાય
દેહ મળતા જીવને પ્રેરણા થાય,જે નાતજાતની સમજણ આપી જાય
દેહને ધર્મનો સંબંધ જે હિંદુ,મુસ્લીમ,ખ્રીસ્તીથી જગતમાં ઓળખાય
...મળેલદેહને પ્રેરણા કરવા શેરડીમાં આવ્યા, જે સત્કર્મની રાહ આપી જાય.
દેહ મળ્યા બાદ એ નિરાધાર થયા,જે શેરડીમા પાવનરાહ આપી જાય
દ્વારકામાઈની સેવામળી સાંઇબાબાને,જે જગતમાં એપવિત્રરાહ કહેવાય
જગતમાં આંગળી ચીંધી માનવ દેહને,હિંદુમુસ્લીમદેહને પ્રેરણા કરી જાય
શ્રધ્ધાસબુરીની સમજણ આપી દેહને,જે પરમાત્માની પુંજા કરાવી જાય
...મળેલદેહને પ્રેરણા કરવા શેરડીમાં આવ્યા, જે સત્કર્મની રાહ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

      

January 21st 2021

જયજય જલારામ

રામજલારામ બાપા વિશે | IsoWebTech.comરામ

.           .જયજય જલારામ                    

તાઃ૨૧/૧/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રદેહ લીધો વિરપુરમાં,જે રાજબાઈમાતાથી અવનીપર આવી જાય
પરમકૃપાળુ સંસાર હતો પવિત્ર ભારતમાં,જે ભક્તિસાગરમાં રહી જાય
....એવા પવિત્રદેહને જગતમાં,શ્રધ્ધાભક્તિથી જયજય જલારામ પ્રેમથી કહેવાય.
પરમાત્માની પાવનકૃપા એ કુળમાં,ના અપેક્ષાની કોઇ ચાદર અડી જાય
કર્મનોસંબંધ મળેલદેહના જીવને,જે જન્મમરણની રાહથી જગતમાં દેખાય
પાવનકર્મ જીવનમાં કરતા જલારામ,જીવને પરમાત્માની કૃપાએ લઈ જાય
અન્નદાનની પાવનરાહ લીધી જીવનમાં,જ્યાં પ્રભુ પરિક્ષાકરવા આવી જાય
....એવા પવિત્રદેહને જગતમાં,શ્રધ્ધાભક્તિથી જયજય જલારામ પ્રેમથી કહેવાય.
સમયસંગે ચાલતા માનવદેહને,માબાપનો પ્રેમ મળે જે થયેલ કર્મથી દેખાય
આજકાલની નાકોઇ અપેક્ષા હતી,જે પત્ની વિરબાઈના સંગાથથી સમજાય 
માનવદેહને કૃપાએ પાવનરાહ મળી,એ નિરખવા પ્રભુ દેહલઈ આવી જાય
વિરબાઈની સેવાની અપેક્ષાએ માગણી કરી,જ્યાં પતિનીકૃપાએ ચાલી જાય 
....એવા પવિત્રદેહને જગતમાં,શ્રધ્ધાભક્તિથી જયજય જલારામ પ્રેમથી કહેવાય.
###############################################################
January 20th 2021

મોહ માયા મળી

About - Shri Vitthalbhai (Mahapatra)

.            મોહ માયા મળી             

તાઃ૨૦/૧/૨૦૨૧              પ્રદીપ  બ્રહ્મભટ્ટ 
જન્મનો સંબંધ મળે માનવદેહને,ગત જન્મના થયેલકર્મથી મેળવાય
અવનીપરનુ આગમન વિદાય,એજ કુદરતની લીલા જન્મથી દેખાય
...મળેલ માનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધા સંગે વિશ્વાસ રખાય.
આજકાલને નાકોઇ દેહ આંબી શકે,કે નાકોઇથી જગતમાં છટકાય 
પરમાત્માની આ લીલા દુનીયામાં,જીવનુ આવનજાવન કર્મથી થાય
કળીયુગની અજબશક્તિ છે જગતમાં,જે સમયે મોહમાયા મળીજાય
અનેક સ્વરૂપથી દેહ મળે જીવને,એજ અજબલીલા પ્રભુની કહેવાય
...મળેલ માનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધા સંગે વિશ્વાસ રખાય.
સરળ જીવનની રાહ મળે માનવદેહને,જયાં મોહમાયાથી દુર રહેવાય
નાકોઈ આશા કે અભિમાનરહે જીવનમા,જ્યાં શ્રધ્ધાભક્તિથી જીવાય
નિર્મળ ભાવનાથી પરમાત્માની પુંજા કરતા,જીવ પર પાવનકૃપા થાય
કળીયુગની કોઇ અસર ના અડૅ જીવને,જે જન્મમરણથી દુર લઈ જાય
...મળેલ માનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધા સંગે વિશ્વાસ રખાય.
************************************************************
January 20th 2021

કૃપાળુ માતાજી

** ૧૧૦૦ વર્ષ બાદ વરસશે માતા લક્ષ્મીની કૃપા આ પાંચ રાશિ જાતકો પર, આ રાશિ જાતકો પર આવનાર સમયમાં થશે ધનની વર્ષા - Moje Mastram**

.                      .કૃપાળુ માતાજી

તાઃ૨૦/૧/૨૦૨૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
  
પરમકૃપાળુ માતા જગતમાં,જે પવિત્રભુમી ભારતમાં દેહ લઈ જાય
એ લક્ષ્મી માતાથી ઓળખાય,જગતમાં માનવદેહપર કૃપા કરીજાય
.....ધનની કૃપા થાય માનવ દેહ પર,જે માતાની પાવનકૃપાએજ મળી જાય.
ભારતદેશ પર પરમાત્માની કૃપા કહેવાય,જ્યાં એપવિત્રદેહ લઈ જાય
વિષ્ણુ ભગવાનના એ ધર્મપત્નિય થયા,જે માતા લક્ષ્મીથી ઓળખાય
લક્ષ્મીમાતાની પાવનકૃપા ભક્તોપર,જે ધન વર્ષાકરી સુખ આપી જાય
પાવનકૃપા મળે માતાની દેહને,જ્યાં શ્રધ્ધાભાવથી માતાની પુંજા થાય
.....ધનની કૃપા થાય માનવ દેહ પર,જે માતાની પાવનકૃપાએજ મળી જાય.
સમયનો સંબંધ મળેલદેહને જગતમાં,જે ગતજન્મના કર્મથી મળતો જાય
અનેક પવિત્રદેહ લઈ એ પધાર્યા,જેમનુ પુંજન શ્રધ્ધાથી મંદીરમાં કરાય
પવિત્રભુમીમાં જન્મ મળે જીવને,જે મળેલ દેહનુ પવિત્ર નશીબ કહેવાય
માતા લક્ષ્મીની કાયમ કૃપાજ મળે,જ્યાં માતાને વંદન કરી પુંજન કરાય
.....ધનની કૃપા થાય માનવ દેહ પર,જે માતાની પાવનકૃપાએજ મળી જાય.
જીવને મળે દેહ અવનીપર,જે ગતજન્મે થયેલકર્મના બંધનથીજ મૈળવાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં લક્ષ્મીમાતાની પાવનકૃપાથાય
ધર્મકર્મને સમજીને ચાલવા લક્ષ્મીમાતા સંગે,વિષ્ણુભગવાનની પ્રેરણા થાય
પવિત્રકૃપા થાય માનવદેહ પર,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય 
.....ધનની કૃપા થાય માનવ દેહ પર,જે માતાની પાવનકૃપાએજ મળી જાય.
#############################################################

 
« Previous PageNext Page »