June 11th 2021

પ્રેમની પકડ મળી

 ##https://www.zee5.com/hi/videos/details/mumbai-shivaji-park-senior-citizen-valentine-day-celebrations/0-0-newsauto_26vku65qds30  https://akamaividz.zee5.com/resources/0-0-newsauto_26vku65qds30/list/270x152/00newsauto_26vku65qds30_li.jpg  ...##
.            .પ્રેમની પકડ મળી   

તાઃ૧૧/૬/૨૦૨૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકૃપાની રાહ મળે પરમાત્માએ લીધેલ દેહથી,જે જીવપર કૃપા કરી જાય
મળેલકૃપા એમાનવદેહને સમયની સમજણથી,એનાથી પ્રેમની પકડ મળીજાય
....દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય.
કળીયુગની આ લીલા જે દેખાવની રાહે લઈ જાય,જે મળેલદેહને ના સમજાય
જન્મો જન્મનો સંબંધ જીવને અવનીપર,અનેક દેહને માનવદેહથીજ બચાવાય
ના કોઇજ અપેક્ષા જીવને મળેલદેહની,કે ના મોહ માયા જીવનમાં અડી જાય
કુદરતની આ લીલા જગતપર જે નિખાલસ,ભાવનાને જીવનમાં રાખીને જીવાય
....દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય.
જીવને પાવનપ્રેરણા મળૅલ આશિર્વાદથી,જેથી નિર્મળ પ્રેમની પકડ મળી જાય
ના કોઇજ માગણીનો સ્પર્શ થાય,જે જીવનમાં પવિત્રરાહની પ્રેરણા આપી જાય
સમયનો સ્પર્શથાય જીવના મળેલદેહને,એ પ્રભુકૃપાએ જીવનમાં શાંંતિ દઈ જાય
પરમાત્માની કૃપા મળે સમયે જીવનમાં,જ્યાં ભક્તિ ભાવનાથી પ્રભુને વંદન થાય 
....દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

,

June 11th 2021

પરમકૃપાળુ મહાદેવ

.       .પરમકૃપાળુ મહાદેવ

તાઃ૧૧/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને શ્રીમહાદેવની પુંજા કરતા,પરમકૃપા ભક્તપર થાય
સંગેમાતા પાર્વતીનોય પ્રેમ મળે,જે પરિવારને સુખ આપી જાય
....હિંદુધર્મમાં અનેક પવિત્ર નામથી ઓળખાય,એ પવિત્રકૃપા કરી જાય.
પવિત્ર માતાપિતા હતા પવિત્રપુત્ર,ભાગ્યવિધાતા શ્રીગણેશ કહેવાય
ભારતની ધરતીને પવિત્રકરવા,ગંગાનદીને શંકરભગવાન વહાવીજાય
જન્મલીધો પવિત્ર નામથી,જે ભોલેનાથ,મહાદેવ,શંકરથી ઓળખાય
હિમાલયના પુત્રી પાર્વતી હતા,જે શંકર ભગવાનની પત્ની કહેવાય 
....હિંદુધર્મમાં અનેક પવિત્ર નામથી ઓળખાય,એ પવિત્રકૃપા કરી જાય.
અજબ પવિત્ર શક્તિશાળી દેહ લીધા,જે ૐ નમઃ શિવાયથી પુંજાય
સાથે બમ બમ ભોલે મહાદેવ,અને પાર્વતી પતિ મહાદેવથીય પુંજાય
પરિવારમા બીજા પુત્ર કાર્તિકેય જન્મ્યા,પુત્રી અશોકસુંદરી જન્મીજાય
ભારતમાં પરમાત્માએ પવિત્રદેહ લીધા,જે શ્રધ્ધાભક્તિથી પુંજા કરાય
....હિંદુધર્મમાં અનેક પવિત્ર નામથી ઓળખાય,એ પવિત્રકૃપા કરી જાય.
##########################################################