June 17th 2021

સાંઇબાબાનો પ્રેમ

 .         .સાંઇબાબાનો પ્રેમ

તાઃ૧૭/૬ /૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધારાખીને પ્રાર્થના કરતા,વ્હાલા સાંઇબાબાનો પવિત્રપ્રેમ મેળવાય
મળેલ જીવનમાં ન કોઇ અપેક્ષા અડે,કે નાકોઇ માગણી પણ રખાય
....પવિત્ર પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે માનવદેહને પ્રેરણા આપી જાય.
પવિત્ર સાંઇબાબાએ આંગણીચીંધી દેહને,ના હિંદુમુસ્લીમથી દુર રહેવાય
માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,શ્રધ્ધા સબુરીથી પ્રભુની પુંજા થાય
પવિત્રરાહે આંગળીચીંધી મળેલદેહને,એ પરમાત્માએ લીધેલદેહથીમેળવાય
જીવનમાં શ્રધ્ધાથી ૐ શ્રી સાંઇનાથાય નમઃથી,પુંજાકરતા કૃપા મળીજાય 
....પવિત્ર પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે માનવદેહને પ્રેરણા આપી જાય.
જન્મલીધો પાર્થીવગામમાં સમયે શેરડીજાય,જયાંદ્વારકામાઇની મદદ થાય
આંગણી ચીંધી હિંદુમુસ્લીમ દેહને,જે જીવને જન્મ મળતા દેહને સમજાય
મળેલદેહને પવિત્રરાહે જીવન જીવવા,શ્ર્ધ્ધા સબુરીથી પ્રભુની પુંજા કરાય
એ જીવના દેહને અવનીપરથી વિદાય લેતા,પરમાત્મા મુક્તિ આપી જાય
....પવિત્ર પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે માનવદેહને પ્રેરણા આપી જાય.
##############################################################
June 17th 2021

પાવન ભક્તિ

***ભગવાન શિવના એક મંત્રનો જાપ કરવાથી તમારી મનોકામના થશે પૂર્ણ***
           .પાવન ભક્તિ   

તાઃ૧૭/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જીવને માનવદેહ મળે અવનીપર,એ પવિત્ર પાવનકૃપા પ્રભુની કહેવાય
સમય સમજીનેચાલતા પવિત્રધર્મથી,મળૅલદેહને પવિત્રભક્તિ મળી જાય
....એ પરમાત્માની કૃપાએ પાવન ભક્તિ થાય,જે જીવને સત્કર્મ આપી જાય.
પવિત્રરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરાય
માનવદેહ એજ પરમાત્માની કૃપા જગતમાં,જે અનેક દેહથી બચાવી જાય
જીવનેસંબંધ ગતજન્મથી થયેલકર્મનો,એ અવનીપર આગમન આપી જાય
જગતમાં નાકોઇ જીવથી છટકાય,એજ લીલા આગમનવિદાયથી સમજાય 
....એ પરમાત્માની કૃપાએ પાવન ભક્તિ થાય,જે જીવને સત્કર્મ આપી જાય.
જીવનમાં ના કોઈની તાકાત છે,પણ પ્રભુ કૃપાએ ધુપદીપથી પુંજા કરાય
સમયે શ્રધ્ધાએ પરમાત્માના નામની માળા જપતા,પવિત્રકૃપા મળી જાય
જીવનમાં નાકોઇજ તકલીફ અડે,કે નાકોઇ અપેક્ષા જીવનમાં સ્પર્શી જાય
પવિત્રકૃપાજ મળે પરમાત્માએ લીધેલ દેહથી,જ્યાં શ્રધ્ધાથીજ પુંજન કરાય
....એ પરમાત્માની કૃપાએ પાવન ભક્તિ થાય,જે જીવને સત્કર્મ આપી જાય.
============================================================