June 17th 2021

પાવન ભક્તિ

***ભગવાન શિવના એક મંત્રનો જાપ કરવાથી તમારી મનોકામના થશે પૂર્ણ***
           .પાવન ભક્તિ   

તાઃ૧૭/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જીવને માનવદેહ મળે અવનીપર,એ પવિત્ર પાવનકૃપા પ્રભુની કહેવાય
સમય સમજીનેચાલતા પવિત્રધર્મથી,મળૅલદેહને પવિત્રભક્તિ મળી જાય
....એ પરમાત્માની કૃપાએ પાવન ભક્તિ થાય,જે જીવને સત્કર્મ આપી જાય.
પવિત્રરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરાય
માનવદેહ એજ પરમાત્માની કૃપા જગતમાં,જે અનેક દેહથી બચાવી જાય
જીવનેસંબંધ ગતજન્મથી થયેલકર્મનો,એ અવનીપર આગમન આપી જાય
જગતમાં નાકોઇ જીવથી છટકાય,એજ લીલા આગમનવિદાયથી સમજાય 
....એ પરમાત્માની કૃપાએ પાવન ભક્તિ થાય,જે જીવને સત્કર્મ આપી જાય.
જીવનમાં ના કોઈની તાકાત છે,પણ પ્રભુ કૃપાએ ધુપદીપથી પુંજા કરાય
સમયે શ્રધ્ધાએ પરમાત્માના નામની માળા જપતા,પવિત્રકૃપા મળી જાય
જીવનમાં નાકોઇજ તકલીફ અડે,કે નાકોઇ અપેક્ષા જીવનમાં સ્પર્શી જાય
પવિત્રકૃપાજ મળે પરમાત્માએ લીધેલ દેહથી,જ્યાં શ્રધ્ધાથીજ પુંજન કરાય
....એ પરમાત્માની કૃપાએ પાવન ભક્તિ થાય,જે જીવને સત્કર્મ આપી જાય.
============================================================

           

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment