June 6th 2021
****
. .કૃપા મળી માતાની
તાઃ૬/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને દુર્ગામાતાની ભક્તિકરતા,મળેલદેહપર કૃપા મળીજાય
પવિતકૃપાએ આશિર્વાદ મળતા,માતાના દર્શન કરીને વંદન કરાય
...અદભુત શક્તિશાળી કૃપાળુ માતા,ભક્તોની ભક્તિપારખી કૃપા કરી જાય.
પવિત્રકૃપાળુ માતા હિંદુધર્મમાં,જે શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરાવી જાય
મળેલ માનવદેહથી સમયસમજીને ચાલતા,પવિત્રરાહ દેહને મળીજાય
નવરાત્રીના પવિત્રતહેવારમાં ભક્તોને,નવદેહની આરતી કરાવી જાય
ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,વંદન કરતા માતાનીકૃપા મેળવાય
...અદભુત શક્તિશાળી કૃપાળુ માતા,ભક્તોની ભક્તિપારખી કૃપા કરી જાય.
પવિત્ર દુર્ગામાતાની કૃપા મને મળી,જે મને સમયસાથે ચલાવી જાય
નાકોઇઆશા કે અપેક્ષા અડી જીવનમાં,એ માતાની કૃપાજ કહેવાય
પવિત્રકૃપાએ પરિવાર સહિત મળેલદેહથી,શ્રધ્ધાભક્તિથી પુંજા કરાય
જીવને મળેલદેહને દુર્ગામાતાની કૃપાએ,જીવનમાં પવિત્રરાહેજ જીવાય
...અદભુત શક્તિશાળી કૃપાળુ માતા,ભક્તોની ભક્તિપારખી કૃપા કરી જાય.
#############################################################
June 6th 2021
. .પરખ સમયની
તાઃ૬/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,સમયનો સંગાથ મળતો જાય
પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જે દેહને પવિત્રરાહેજ લઈ જાય
....પવિત્રકૃપા એ મળેલદેહને પાવનરાહ આપી જાય,જે પવિત્રકર્મથી સમજાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે ગતજન્મના કર્મથી મળી જાય
ના માગણી ના મોહમાયાનો સંબંધ દેહને,એ પ્રભુની કૃપાએ સમજાય
મળેલ દેહને સમયની પરખ થતા,ના કોઇજ ખોટી રાહે ચાલી જવાય
પાવનકૃપા મળે દેહને જીવનમાં,જે મળૅલદેહના વર્તનથી સમજાઈ જાય
....પવિત્રકૃપા એ મળેલદેહને પાવનરાહ આપી જાય,જે પવિત્રકર્મથી સમજાય.
અજબકૄપા પ્રભુની અવનીપર,જે જીવને સમય સંગાથે દેહ આપી જાય
માનવદેહ એ ગતજન્મના કર્મથીજ મળે જીવને,જે સમયે સમજાઇ જાય
પાવનરાહને પકડી ચાલતા જીવનમાં,શ્રધ્ધાભાવથી પ્રભુની ભક્તિ કરાય
મળેલદેહપર પવિત્રકૃપા થતા,જન્મમરણનો સંબંધછુટતા મુક્તિ મળીજાય
....પવિત્રકૃપા એ મળેલદેહને પાવનરાહ આપી જાય,જે પવિત્રકર્મથી સમજાય.
===============================================================