પવિત્રકુળ
*****
. .પવિત્ર કુળ તાઃ૩/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ વિરપુરગામમા ઠકકર કુળને પવિત્ર કરવા,સંત જલારામનો જન્મ થાય પવિત્રશ્રધ્ધાએ ભક્તિકરતા ભુખ્યાને ભોજનદેવા,પ્રભુ સંકેત આપી જાય ....થઈ રહેલ કર્મની પરીક્ષા કરવા,પત્નિ વિરબાઇને સેવા કરવા માગી જાય. શ્રધ્ધા રાખીને ભગવાનની ભક્તિ કરતા,જીવનમાં ના અપેક્ષાએ જીવાય શ્રીરામનામની માળા જપતા,જીવને સરળરાહે જીવવા પ્રેરણા મળી જાય ના કળીયુગની કોઇ માયાઅડે,કે નાકોઇજ મોહ સંગે આશા અડી જાય કુળને પવિત્રકરવા પિતા પ્રધાન,અને માતા રાજબાઈથી જન્મ લઈ જાય ....થઈ રહેલ કર્મની પરીક્ષા કરવા,પત્નિ વિરબાઇને સેવા કરવા માગી જાય. જીવને મળેલ માનવદેહનો સંબંધ,ગતજન્મના દેહના થયેલકર્મથી મેળવાય જન્મ મળતા જલારામે પકડી પવિતરાહ,જે જીવનમાં પાવનકર્મથી દેખાય પરમપવિત્રજીવ હતો પત્નિ વિરબાઈનો,નાકોઇ અપેક્ષાથી મદદ કરી જાય પવિત્રપ્રેમ જોવા પ્રભુ સંતથી પધારી,જલારામની પત્નિને સેવાએ લઈ જાય ....થઈ રહેલ કર્મની પરીક્ષા કરવા,પત્નિ વિરબાઇને સેવા કરવા માગી જાય. ============================================================