પવિત્ર કુદરતની કૃપા
******
. .પવિત્ર કુદરતની કૃપા તાઃ૧૪/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રકૃપા મળે પરમાત્માની જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર પુંજા કરાય જીવના મળેલદેહને ગતજન્મના કર્મનો સંબંધ,જે અવનીપર કર્મ આપી જાય .....સમયની સાથે ચાલતા જીવનમાં,પવિત્ર કુદરતની કૃપાએ દેહથી ભક્તિ થઇ જાય. અવનીપર જન્મમળતા દેહનેસમય મળીજાય,જે જીવનમાં અનેકકર્મ આપીજાય પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધો પરમાત્માએ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય ભજનભક્તિનો સંગાથ રાખીને જીવન જીવતા,મળેલ દેહના જીવપર કૃપા થાય પવિત્રકર્મની રાહ મળે જીવનમાં,જે ઘરમાં પરમાત્માની પુંજા ધુપદીપથી કરાય .....સમયની સાથે ચાલતા જીવનમાં,પવિત્ર કુદરતની કૃપાએ દેહથી ભક્તિ થઇ જાય. અનેકદેહથી જન્મલીધો પરમાત્માએ,જે સમયની સાથે દેહ પર કૃપા કરી જાય પ્રભુએ લીધેલદેહના નામથી માળાજપતા,જીવના દેહપર પ્રભુની પવિત્રકૃપાથાય શ્રધ્ધારાખીને સરસ્વતી માતાને વંદન કરતા,માતાની કૃપાએ કલમપકડાઇ જાય પરમકૄપા હિન્દુધર્મમાં દેવ અને દેવીઓની,જે જગતમાં ધર્મને પવિત્ર કરી જાય .....સમયની સાથે ચાલતા જીવનમાં,પવિત્ર કુદરતની કૃપાએ દેહથી ભક્તિ થઇ જાય. ###################################################################