June 22nd 2021

શ્રધ્ધાભક્તિ પ્રેમ

**મનમાં ક્રોધ રાખી ભોળાનાથની ભક્તિ કરવાની ક્યારેય ન કરો ભુલ, મળશે આ સજા - GSTV**
.         .શ્રધ્ધાભક્તિ પ્રેમ 

તાઃ૨૨/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતપર પરમાત્માની પવિત્રકૃપા,જે જીવને અવનીપર દેહથી દેખાય 
ગત જન્મનો સંબંધ જીવનેમળે,એ સમયે દેહમળતા જીવને સમજાય
...આ અદભુતલીલા પરમાત્માની,મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
કુદરતની પવિત્રકૃપા હિંદુ ધર્મમાં,જે ભારતમાં દેહથી જન્મ લઈ જાય
પ્રભુના પવિત્રદેહની શ્રધ્ધાથી પ્રાર્થના કરતા,મળેલ દેહપર કૃપા થાય
ભારતદેશમાં પ્રભુએ અનેકદેહથી જન્મ લઈ,ધરતીને પવિત્ર કરી જાય
મળેલ માનવદેહને જીવનમાં,પ્રભુનીકૃપા મેળવવા શ્રધ્ધાથી ભક્તિથાય
...આ અદભુતલીલા પરમાત્માની,મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
કળીયુગમાં પવિત્રભાવનાથી પુંજાકરવા,ઘરમાંજ ધુપદીપથીજ પુંજાથાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા,પરમાત્માની કૃપાએ પ્રેરણા મેળવાય
પવિત્રદેવ અને દેવીઓથી પરમાત્માએ,દેહલઈ માનવદેહપર કૃપા કરી
પવિત્ર ધર્મને સમજીને ચાલતા જીવનમાં,પ્રભુના નામની માળા જપાય
...આ અદભુતલીલા પરમાત્માની,મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment