June 28th 2021

માબાપના આશિર્વાદ

@@માંતા ખોડલની કૃપા થશે આ ૬ રાશિઓ પર આ લોકો ને મળશે તરક્કી નો રસ્તો બનશે  કરોડપતિ - Moje Mastram@@

.          .માબાપના આશિર્વાદ

તાઃ૨૮/૬/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
              
પરમાત્માની પવિત્રકૃપા જગતપર,અબજો વર્ષોથી સમયસાથે ચાલી જાય
પરમ શક્તિશાળી પરમાત્મા અવનીપર,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
....એ પવિત્રદેશ અવનીપર પ્રભુની પાવનકૃપાથી,હિંદુધર્મમાં પુંજાથી સમજાય.
અવનીપરનુ આગમન એ જીવને,ગતજન્મના કર્મથી દેહ મળતાજ દેખાય
માનવદેહ મળે જ્યાં માબાપનો પવિત્રપ્રેમ થાય,એ સંતાનથી જન્મીજાય
જન્મ મળતા જીવને દેહ મળે,જે મળેલદેહને ઉંમરના સંબંધથી મેળવાય
સંતાનને જીવનમાં પવિત્રરાહ મળૅ,જ્યાં માબાપના આશિર્વાદ મળીજાય
....એ પવિત્રદેશ અવનીપર પ્રભુની પાવનકૃપાથી,હિંદુધર્મમાં પુંજાથી સમજાય.
જીવનમાં પ્રેમનો સંબંધ મળેલદેહને,જે અનેકરાહે પ્રેમ દેહને મળતો જાય
પ્રેમની અનેક કેડી ધરતીપર મળે,એ નિખાલસ,પવિત્ર,સ્વાર્થથી મેળવાય
પવિત્રપ્રેમ મળે વડીલના જીવનમાં,સંગે નિખાલસ સંબંધીનાપ્રેમ મળીજાય
કળીયુગની હવામાં સમજીને જીવતા,દેખાવનો પ્રેમપણ જીવને જકડી જાય
....એ પવિત્રદેશ અવનીપર પ્રભુની પાવનકૃપાથી,હિંદુધર્મમાં પુંજાથી સમજાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment