June 1st 2021

કૃપા પ્રભુની

હનુમાનજી નો આવો ફોટો લગાવવાથી ઘર માં થશે મંગલ જ મંગલ, હનુમાનજી ની કૃપા થી ખુલી જશે કિસ્મત

.           .કૃપા પ્રભુની  

તાઃ૧/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે શ્રધ્ધાથી પુંજન કરતા મળી જાય
મળેલદેહને સંબંધ કર્મનો અવનીપર,જે સમયસંગે મળતો જાય
....એ પ્રભુનીકૃપા છે જે પવિત્ર શ્રધ્ધાથી,ઘરમાં પુંજન કરતા મળી જાય.
સમય સમજીને ચાલતા જીવનમાં,ના કોઇ મોહમાયા અડી જાય
પવિત્રરાહ મળે જીવના દેહને,જે સમય સાથે સંબંધ મળી જાય 
પરમાત્માની પાવનકૃપા છે ભારતદેશપર,અનેકદેહથી આવીજાય
એ મળેલદેહથી પવિત્રરાહ ચીંધે,જે જીવને મુક્તિમાર્ગે લઈ જાય
....એ પ્રભુનીકૃપા છે જે પવિત્ર શ્રધ્ધાથી,ઘરમાં પુંજન કરતા મળી જાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,માનવદેહને કૃપા આપીજાય
માનવદેહને સમજણની કૃપા મળે,જે પવિત્ર ભક્તિમાર્ગે લઈ જાય
પરમાત્માની કૃપા અને પ્રેમ મળે,ના મંદીર મસ્જીદમા વંદન કરાય
પ્રભુનો પવિત્રપ્રેમ એ દેહને શ્રધ્ધાએ મળે,જ્યાં ઘરમાં પુંજન કરાય
....એ પ્રભુનીકૃપા છે જે પવિત્ર શ્રધ્ધાથી,ઘરમાં પુંજન કરતા મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment