June 5th 2021

પવિત્રકૃપા મળે

**ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની  કૃપા. |**
.           .પવિત્રકૃપા મળે

તાઃ૫/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
રામનામની માળા જપતા પવિત્રકૃપા,પરમાત્માએ લીધેલ દેહથી મળી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં બજરંગબલી હનુમાનનીકૃપાથાય
...અનંત કૃપાળુ પરમાત્માએ દેહ લીધા ભારતમાં,એ દુનીયામાં પવિત્રદેશ કહેવાય.
પવિત્રદેહ લીધો અયોધ્યામાં શ્રીરામથી,ને જીવનસંગીની સીતાજી મળી જાય
અદભુતલીલા થઈ જીવનમાં પ્રભુકૃપાએ,જે લંકાના રાજા રાવણને સ્પર્શીજાય
પત્નિ સીતાને સાથ મળ્યો ભક્તહનુમાનનો,જે સીતાજીને શોધીને મળી જાય
હનુમાનજી રામનાભાઈ લક્ષ્મણને બચાવી,રાવણસહિત લંકાને સળગાવી જાય
...અનંત કૃપાળુ પરમાત્માએ દેહ લીધા ભારતમાં,એ દુનીયામાં પવિત્રદેશ કહેવાય.
માનવદેહને સમયનો સંગાથ મળે જીવનમાં,જે થઈ રહેલકર્મથી દેહ મેળવાય
અવનીપરનુ આગમન જીવનુ એ ગતજન્મના,દેહથી થયેલ કર્મથી મળી જાય
પવિત્રદેહ પરમાત્મા લીધા સમયે,જે હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાઈ જાય
એજકૃપા પવિત્રધર્મની માનવદેહથી સચવાય,જે જીવને જન્મમરણ આપી જાય
...અનંત કૃપાળુ પરમાત્માએ દેહ લીધા ભારતમાં,એ દુનીયામાં પવિત્રદેશ કહેવાય.
================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment