June 22nd 2021

પવિત્રકૃપા પરમાત્માની

++આ 6 કામ કરવાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, દરેક પરેશાની થઇ જશે દુર |  Happiness will come in life by doing these 6 works, every trouble will be  removed++
.         .પવિત્રકૃપા પરમાત્માની

તાઃ૨૨/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
જીવને જન્મમળે માનવદેહનો,જ્યાં જીવથી પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
જગતપર અનેકદેહથી જીવનુ આગમનથાય,મળે માનવદેહ એ કૃપા કહેવાય
...પરમકૃપાળુ અને શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને પાવનરાહ આપી જાય.
જીવને ગતજન્મે થયેલ કર્મનો સંબંધ છે,જે અવનીપર સમયે દેહ મળી જાય
નાકોઇજ જીવથી છટકાયકર્મથી જગતમાં,એજ અદભુતલીલા પ્રભુની કહેવાય 
મળૅલદેહને પવિત્ર કર્મની કેડી મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને પુંજા કરાય
અવનીપર અનેકદેહથી પરમાત્મા ભારતદેશમાં,જન્મલઈને ભુમીપવિત્ર કરીજાય
...પરમકૃપાળુ અને શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને પાવનરાહ આપી જાય.
પરમાત્માએ અનેક દેહથી જન્મલીધા,જે હિંદુધર્મને દુનીયામાં પવિત્ર કરી જાય
શ્રધ્ધારાખીને ધુપદીપ કરીને વંદનકરતા,પરમાત્માએ લીધેલદેહથી કૃપામેળવાય
આંગણે આવી પવિત્રકૃપા મળે માનવદેહને,જે જીવનમાં અનંતપ્રેમ મળી જાય
કુદરતની આ અદભુતલીલા દુનીયામાં,જે મળેલદેહ થઈ રહેલકર્મથીજ સમજાય
...પરમકૃપાળુ અને શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને પાવનરાહ આપી જાય.
==================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment