June 30th 2021
@@@@
. .મળે કૃપા માતાની
તાઃ૩૦/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને પુંજન કરીને વંદન કરતા,માતાના આશિર્વાદ મળી જાય
પરમકૃપાળુ માતા હિંદુ ધર્મમાં ભારતમાં,મને મમ્મીનોપ્રેમ મળતો થાય
....એ પવિત્રકૃપા વિષ્ણુ ભગવાનની મળે,સાથે માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
જગતમાં પવિત્ર હિંદુ ધર્મ છે,જે પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
પ્રભુની આપવિત્રકૃપા હિંદુધર્મમાં છે,જે અનેકસ્વરૂપે દર્શન આપી જાય
મળેલ માનવદેહને સરળ જીવનની રાહ મળે,એજ માતાનો પ્રેમ કહેવાય
ધનલક્ષ્મીમાતાની શ્રધ્ધાથી પુંજાકરતા,માનવદેહના જીવનમાંસુખમળીજાય
....એ પવિત્રકૃપા વિષ્ણુ ભગવાનની મળે,સાથે માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
પરમકૃપાજ મળે માતાની,જે જીવને મળેલ દેહને સુખસાગરમાં લઈ જાય
પરમપ્રેમાળ માતા હિંદુ ધર્મમાં,જે શ્રધ્ધા રાખીને વંદન કરતા અનુભવાય
તનઅનેમનને શાંંતિ મળે જીવનમાં,જ્યાં માતાનીકૃપાએ ધનની કૃપા થાય
લક્ષ્મીમાતાના પવિત્ર શ્લોકના સ્મરણથી,મળેલદેહપર પાવનકૃપા થઈ જાય
....એ પવિત્રકૃપા વિષ્ણુ ભગવાનની મળે,સાથે માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
###############################################################
No comments yet.