June 2nd 2021

. .પ્રભુની પવિત્રકૃપા
તાઃ૨/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનુ આગમન અનેકદેહથી અવનીપર,જે દેહના કર્મથી મળી જાય
માવનદેહને પ્રભુની પવિત્રકૃપા મળૅ,જે દેહને પ્રભુનીભક્તિઆપી જાય
....કર્મનોસંબંધ એદેહના જીવને મળે,જે જન્મમરણથી આવનજાવન કરી જાય.
પવિત્રધરતી ભારતદેશની,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી લઈ જાય
હિંદુધર્મમાં અનેક પવિત્રનામ છે,જેમની કૃપાએ અનેક મદીરમાં પુંજાય
પાવનકૃપા ભગવાનની ભારતમાં,જ્યાંમળેલદેહ શ્રધ્ધાથી ભક્તિ કરીજાય
એજગતના જીવોને સત્કાર્મની રાહ ચીંધે,જે મુક્તિમાર્ગે દેહને દોરી જાય
....કર્મનોસંબંધ એદેહના જીવને મળે,જે જન્મમરણથી આવનજાવન કરી જાય.
ધરતીને પવિત્રકરવા ભગવાને જન્મ લીધો,એ દેહના જીવોપર કૃપા થાય
મળેલ દેહને જીવનની રાહ મળે,જે દેહના કર્મની રાહે જ જીવન જીવાય
અનેક દેવ દેવીઓથી ભારતમાંજ જન્મ લીધો,જે સમયે ધર્મથી પ્રેરી જાય
જીવનાદેહને પવિત્રકર્મની રાહ મળે,જે જીવને જન્મમરણથીજ છોડી જાય
....કર્મનોસંબંધ એદેહના જીવને મળે,જે જન્મમરણથી આવનજાવન કરી જાય.
#############################################################
June 2nd 2021

. .પવિત્ર પુંજા
તાઃ૨/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી પરમાત્માની જીવનમાં,જે મળેલદેહને આનંદ થાય
સમય સમજીને ચાલતા પવિત્રપ્રેમ મળે,જે પવિત્ર પુંજા કરાવી જાય
...એ જીવના મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં ધુપદીપસંગે વંદન કરીને પુંજાય.
અજબશક્તિશાળી હિંદુધર્મમાં પ્રભુછે,જે અનેકદેહથી જન્મ લઈ જાય
પાવનરાહ મળે પરમાત્માનીકૃપાએ,જ્યાં શ્રધ્ધારાખીને પ્રેમથીવંદનથાય
જીવનમાં નાકોઇઅપેક્ષા રાખીને,પવિત્રરાહે ઘરમાંજ પ્રભુનીપુંજા કરાય
શંકર ભગવાનના પવિત્રપુત્ર શ્રી ગણેશ,જગતમાં ભાગ્ય્વિધતા કહેવાય
...એ જીવના મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં ધુપદીપસંગે વંદન કરીને પુંજાય.
પવિત્રભાવનાથી ભોલેનાથના શિંવલીંગપર,દુધઅર્ચનાથી કૃપા મેળવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,ના કોઇજ જીવથી કદી છટકાય
મળેલદેહની માનવતા પ્રસરે,જ્યાં શંકરભગવાનસંગે પરિવારની ક્રુપાથાય
શ્રીગણેશ એ વિઘ્નહર્તા સંગે ભાગ્યવિધાતા છે,જે પુંજાએ કૃપાકરી જાય
...એ જીવના મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં ધુપદીપસંગે વંદન કરીને પુંજાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
ૐૐૐૐૐ#############ૐૐૐૐૐૐૐૐ#############ૐૐૐૐૐ
===============================================================
June 1st 2021
##
##
. .માતાની પવિત્રકૃપા
તાઃ૧/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાએ સમયસંગે કલમ પકડતા,જીવનમાં કલમથી રચના થાય
એ પાવનકૃપા સરસ્વતી માતાની,કલમના ભક્તને પ્રેરણા મળતીજાય
....સમયે કૃપા મળતા માનવદેહને પ્રેરણા મળે,જે અનેક વાંચકથી મેળવાય.
માતા સરસ્વતીની પવિત્રકૃપાથઇ,જે કલમપ્રેમીઓની રચનાથી દેખાય
જીવના મળેલદેહને આશિર્વાદ મળે માતાના,જે સમયે સાથ મેળવાય
અવનીપર સમયે જીવને દેહ મળે,જે ગતજન્મના કર્મથીજ મળી જાય
એ પાવનલીલા પરમાત્માની જગતપર,જે જીવના મળેલદેહથી દેખાય
....સમયે કૃપા મળતા માનવદેહને પ્રેરણા મળે,જે અનેક વાંચકથી મેળવાય.
મળેલ માનવદેહને સમયનો સંબંધ છે,જે બાળપણથી ભણતર થાય
સમયનીકેડી એકુદરતનીકૃપા દેહપર,એસમજણની સાથે પ્રેરણા થાય
માતાની પવિત્રકૃપાએ સંકેત મળે,જે જીવનમાં રચનાઓ કરાવીજાય
પવિત્રપ્રેમીઓનો સાથ મળે દેહને,જે અનેકરાહે માતાની કૃપા થાય
....સમયે કૃપા મળતા માનવદેહને પ્રેરણા મળે,જે અનેક વાંચકથી મેળવાય.
***********************************************************
June 1st 2021

. .કૃપા પ્રભુની
તાઃ૧/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે શ્રધ્ધાથી પુંજન કરતા મળી જાય
મળેલદેહને સંબંધ કર્મનો અવનીપર,જે સમયસંગે મળતો જાય
....એ પ્રભુનીકૃપા છે જે પવિત્ર શ્રધ્ધાથી,ઘરમાં પુંજન કરતા મળી જાય.
સમય સમજીને ચાલતા જીવનમાં,ના કોઇ મોહમાયા અડી જાય
પવિત્રરાહ મળે જીવના દેહને,જે સમય સાથે સંબંધ મળી જાય
પરમાત્માની પાવનકૃપા છે ભારતદેશપર,અનેકદેહથી આવીજાય
એ મળેલદેહથી પવિત્રરાહ ચીંધે,જે જીવને મુક્તિમાર્ગે લઈ જાય
....એ પ્રભુનીકૃપા છે જે પવિત્ર શ્રધ્ધાથી,ઘરમાં પુંજન કરતા મળી જાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,માનવદેહને કૃપા આપીજાય
માનવદેહને સમજણની કૃપા મળે,જે પવિત્ર ભક્તિમાર્ગે લઈ જાય
પરમાત્માની કૃપા અને પ્રેમ મળે,ના મંદીર મસ્જીદમા વંદન કરાય
પ્રભુનો પવિત્રપ્રેમ એ દેહને શ્રધ્ધાએ મળે,જ્યાં ઘરમાં પુંજન કરાય
....એ પ્રભુનીકૃપા છે જે પવિત્ર શ્રધ્ધાથી,ઘરમાં પુંજન કરતા મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
June 1st 2021
##
##
. .વિધ્નવિનાયક ગણેશ
તાઃ૧/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રસંતાન હિંદુધર્મમાં થયા,જે માતા પાર્વતીના સંતાન કહેવાય
પિતાને બમબમભોલે મહાદેવકહેવાય,એ પવિત્ર શંકરભગવાનથી ઓળખાય
....એ પવિત્રજીવ છે જેસંતાનથી જન્મી જાય,એશ્રીગણેશ સંગે વિધ્નવિનાયક કહેવાય.
શંકરભગવાન એ પવિત્રશક્તિશાળી છે,જે ભારતમાં ગંગાનદીને વહાવી જાય
એ હિમાલયની પુત્રી પાર્વતીના ભરથાર થયા,જે પવિત્ર નશીબદાર થઈ જાય
પવિત્રપ્રેમ મળ્યો પતિદેવનો,જે શ્રીગણેશ,કાર્તિકેય,અશોકસુંદરીની મમ્મી થાય
જગતમાં પવિત્ર પરમાત્માનો પરિવારછે,જે શંકરપાર્વતીના સંતાનથી ઓળખાય
....એ પવિત્રજીવ છે જેસંતાનથી જન્મી જાય,એ શ્રીગણેશ સંગે વિધ્નવિનાયક કહેવાય.
પ્રથમ પવિત્રસંતાન ગણપતિ જન્મ્યા,જે જગતમાં દેહોના ભાગ્યવિધાતા કહેવાય
તેમના જીવનમાં પત્ની રિધ્ધીસિધ્ધી મળીજાય,જેમના સંતાન શુભલાભ થઈજાય
જગતમાં માનવદેહને પાવનરાહથી પ્રેરણા કરે,જે દેહોના ભાગ્યવિધાતા કહેવાય
એ પવિત્રપુત્ર થયા ભારતમાં,સંગે માતાપાર્વતીનીકૃપા મળતા પુંજન કરાવી જાય
....એ પવિત્રજીવ છે જેસંતાનથી જન્મી જાય,એ શ્રીગણેશ સંગે વિધ્નવિનાયક કહેવાય.
**********************************************************************
June 1st 2021
##
##
. .અજબ લીલા
તાઃ૧/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે સમજીને ચાલતા,માનવદેહ પર પરમાત્માની કૃપા થાય
જીવનમાં પાવનરાહ મળે દેહને,જે અવનીપર કુદરતની લીલા સમજાય
.....એ કળીયુગની અદભુતલીલા જગતપર,જે મળેલદેહને સમયે સમજાઈ જાય.
અવનીપરનુ આગમન જીવનુ મળેલદેહથી,એ ગતજન્મના કર્મથી મેળવાય
નાકોઇ જ જીવની તાકાત જગતમાં,એ કુદરતની સમયસંગે લીલા કહેવાય
પાવન રાહ મળે દેહને જીવનમાં,જે શ્રધ્ધાભક્તિથી થયેલ કર્મથી મેળવાય
જીવનમાં ના કોઇ માગણી અડે કે ના કોઇજ અપેક્ષા,જીવનમાંય પકડાય
.....એ કળીયુગની અદભુતલીલા જગતપર,જે મળેલદેહને સમયે સમજાઈ જાય.
જીવને અનેક જન્મોથી સંબંધ અવનીપર,એ પવિત્ર લીલા કુદરતની કહેવાય
નાકોઇ દેહથી છટકાય જીવનમાં,જ્યાં પરમાત્મા પણ દેહથી જન્મ લઈજાય
જીવને દેહ મળતા સમયની સમજણ પડે,જે કળીયુગ સતયુગનો સ્પર્શ થાય
પરમાત્માનો પ્રેમ મેળવવા મળેલદેહથી,શ્રધ્ધા રાખીને ધુપદીપથી વંદન કરાય
.....એ કળીયુગની અદભુતલીલા જગતપર,જે મળેલદેહને સમયે સમજાઈ જાય.
##############################################################