June 14th 2021

માતાની પ્રેમાળકૃપા

Vasant Panchami 2021: ક્યારે છે વસંત પંચમી? જાણો મા સરસ્વતીની પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ When is Vasant Panchami Know the shubh muhurt and importance of worshiping Maa Saraswati | TV9 Gujarati

.          .માતાની પ્રેમાળકૃપા

તાઃ૧૪/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માતા સરસ્વતીપર શ્રધ્ધારાખીને કલમપકડતા,માતાની પ્રેમાળ કૃપા મળી જાય
પવિત્રરાહે કલમ ચાલતા કૃપાએ પવિત્ર રચનાથાય,જીવનમાં શાંંતિ આપી જાય
....એ પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,એ કલમપ્રેમી માતા સરસ્વતીથી ઓળખાય.
સમયની સાથે ચાલતા માનવદેહને,ઉંમરનો સાથ મળે જે ભણતર આપી જાય
કલમથી જ પવિત્રરાહ મળે જીવનમાં,જે અનેક રચનાઓજ કલમથી થઈ જાય
સરસ્વતીમાતા જગતમાં મળેલદેહના મગજને,પવિત્ર કલમથી પ્રેરણાઆપી જાય
અનેક રચનાઓ માતાની કૃપાએ રચાય,જે જગતમાં વાંચકોને આનંદઆપીજાય
....એ પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,એ કલમપ્રેમી માતા સરસ્વતીથી ઓળખાય.
પવિત્રમાતાની શ્રધ્ધાથી પુંજાકરી વંદનકરતા,માતાના આશિર્વાદનો અનુભવ થાય
ના કોઇ જ માગણી જીવનમાં રહે કે,ના કોઇ અપેક્ષા સમય્ને પકડીને લઈ જાય 
મળેલદેહને જીવનમાં માતાનીકૃપાએ,સંગીત,ગીત,કલાકારથી અનેક પ્રસંગ કરાય
એજ પ્રેમાળકૃપા છે વ્હાલા માતાસરસ્વતીની,જે સમયે સૌને આનંદ આપી જાય
....એ પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,એ કલમપ્રેમી માતા સરસ્વતીથી ઓળખાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
June 14th 2021

ભોલે શિવશંકર

###om namah shivay shiv mantras - Google Play પર ઍપ્લિકેશનો###
.           .ભોલે શિવશંકર       

તાઃ૧૪/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપા પરમાત્મા ભારતદેશમાં જન્મ્યા,જે ભોલે શિવશંકરથી પુંજાય
પવિત્રશક્તિશાળી શંકર ભગવાન,જે ભારતમાં પવિત્રગંગા વહાવીજાય
....પાવનરાહ મળે ભક્તોને,જે શ્રધ્ધાથી શિંવલીંગ પર દુઘ અર્ચના કરી જાય.
ભક્તોની પવિત્રભક્તિથી બમબમ ભોલે મહાદેવ હરથી વંદનકરી પુંજાય
પાવન પવિત્રકૃપા મળે ભોલેનાથની,જે જીવનમાં પવિત્રકર્મની રાહ મળે
શંકરભગવાન સંગે માતાપાર્વતીની કૃપા મળે,ના કોઇ તકલીફ મેળવાય
એ પવિત્રકૃપાળુ ભગવાનના દેહછે,જેમની ભક્તીકરતા સુખ આપી જાય
....પાવનરાહ મળે ભક્તોને,જે શ્રધ્ધાથી શિંવલીંગ પર દુઘ અર્ચના કરી જાય.
પવિત્ર પરિવાર શંકર ભગવાનનો,પ્રથમપુત્ર ભાગ્યવિધાતા શ્રીગણેશ થાય
જગતમાં શ્રીગણેશને વિધ્નવિનાયક પણ કહેવાય,બીજાપુત્ર કાર્તિકેય થાય
માબાપનો પવિત્રપ્રેમ જીવનમાં સંતાન પુત્રી અશોકસુંદરી જન્મ લઈ જાય
પરમાત્માની પાવનકૃપાએ ભગવાનથી જન્મલીધો,જે ધરતીપાવનકરી જાય
....પાવનરાહ મળે ભક્તોને,જે શ્રધ્ધાથી શિંવલીંગ પર દુઘ અર્ચના કરી જાય.
##############################################################
June 13th 2021

ઉજવળ જીવન

###Sahitya Premi – Telegram###
.           .ઉજવળ જીવન

તાઃ૧૩/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કલમપ્રેમીઓના પ્રેમથી પાવનરાહ મળે,જે કૃપાએ ઉજવળ જીવન આપી જાય
મળેલપ્રેમ જીવનમાં પવિત્ર કલમની કેડીનો,જે કલમની રચનાથી સમજાઈ જાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો પ્રેમીઓનો,જે મગજપર કૃપા થતાજ દેખાઈ જાય.
આંગણી માગણી નાજીવનમાં રખાય,જ્યાં કલમપ્રેમીઓ સંગે માતાનીકૃપા થાય
સમયની સાથે ચાલતા પાવનરાહમળે,જે માતા સરસ્વતીની પરમકૃપા પણ થાય
મળેલ માનવ દેહના જીવને સંબધ ગતજન્મના કર્મનો,જે દેહ મળતાજ સમજાય
અવનીપરનુ આગમન એ દેહના કર્મનુ,જે ના કોઇજ જીવથી અવનીપર છટકાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો પ્રેમીઓનો,જે મગજપર કૃપા થતાજ દેખાઈ જાય.
મળ્યો માતાનો પ્રેમ માનવદેહને જીવનમાં,જે કલમની પવિત્રરાહેજ સમજાઈ જાય
આવી આંગણે કૃપા મળે મળેલદેહને,એ માતાનીજ કૃપાનો અનુભવ આપી જાય
જીવનમાં સમયની સાથે ચાલતા દેહને રાહ મળે,જે મળેલ જન્મપાવન કરી જાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની,એ જીવને મળેલદેહને પાવનરાહે લઈ જાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો પ્રેમીઓનો,જે મગજપર કૃપા થતાજ દેખાઈ જાય.
===================================================================
June 13th 2021

માતાની કૃપા મળે

**આ દિવસથી થશે ગુપ્ત નવરાત્રીનો આરંભ, આ રીતે કરશો સાધના તો સદાય રહેશે મા દુર્ગાની અસીમ કૃપા - GSTV**  
.          ં.માતાની કૃપા મળે

તાઃ૧૩/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખી દુર્ગા માતાની પુંજા કરતા,મળેલ દેહ પર પવિત્ર કૃપા થાય
પવિત્રકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જે જીવપર કૃપા કરતા સુખ મળી જાય
....પરમ શક્તિશાળી માતાછે જગતમાં,જે પવિત્ર ભક્તોને પાવનરાહ આપી જાય.
ધુપદીપથી પુંજન કરતા માતાનોપ્રેમ મળે,જે જીવના દેહને અનુભવ થાય
કૃપાથી જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ થાય,ના તકલીફ કે અપેક્ષા અડી જાય
ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરતા,માતાની કૃપાજ મળી જાય
મળેલદેહપર પવિત્રકૃપામળે માતાની,જે જીવનમાં પવિત્રશાંંતિ આપી જાય 
....પરમ શક્તિશાળી માતાછે જગતમાં,જે પવિત્ર ભક્તોને પાવનરાહ આપી જાય.
અનંત કૃપાળુ દુર્ગામાતા છે,જે હિંદુધર્મમાં નવરાત્રીના નવદીવસ પુંજા કરાય
માતાના પવિત્રશક્તિ નવ સ્વરૂપ છે,જેમની ગરબેઘુમીને વંદના કરી પુંજાય
ભારતદેશમાં અનેકદેહથી દેવ અને દેવીઓથી પધાર્યા,જે પુંજાથી અનુભવાય
દુર્ગા માતાનો પ્રેમ અને કૃપા મળતા,જીવનમાં શ્રધ્ધાથી પુંજા કરીને જીવાય
....પરમ શક્તિશાળી માતાછે જગતમાં,જે પવિત્ર ભક્તોને પાવનરાહ આપી જાય.
#################################################################
June 13th 2021

પ્રેમને પકડજો

####

.          . પ્રેમને પકડજો
તાઃ૧૩/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલદેહને પાવનપ્રેમની રાહ મળે જીવનમાં,જે દેહને સદમાર્ગે લઈ જાય
પવિત્રરાહે જીવનજીવવા આંગળીચીંધી,ભક્ત જલારામ પ્રેરણા આપી જાય
....પવિત્ર પ્રેમને પકડજો જીવનમાં,જે અન્નદાન કરવાથી પ્રભુનો પ્રેમ મળી જાય.
જીવને સંબંધ અવનીપરના દેહથી,એ સમયસંગે મળેલદેહના કર્મથી મેળવાય
માનવદેહ એજ પરમાત્માની કૃપા કહેવાત,જે જીવનમાં ભક્તિરાહ આપીજાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા જીવનમાં,પરમાત્માનો પવિત્રપ્રેમ દેહને મળી જાય
અદભુત કૃપાળુ પરમાત્મા અનેકદેહથી.ભારતદેશમાં હિંદુધર્મમાં જન્મ લઈજાય
....પવિત્ર પ્રેમને પકડજો જીવનમાં,જે અન્નદાન કરવાથી પ્રભુનો પ્રેમ મળી જાય.
સમય સમજીને ચાલતા દેહપર પ્રેભુની કૃપા થાય,જે દેહને સદમાર્ગે લઈ જાય
ભક્ત જલારામની પ્રેરણા મળેલ માનવદેહને,પવિત્રરાહે જીવવા પ્રેરણા કરીજાય
પવિત્ર શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,સમયે પરમાત્મા દેહની પરીક્ષાય કરી જાય
જગતમાં મળેલદેહને નાકોઇ અપેક્ષાથી જીવતા,કૃપાએ જીવને મુક્તિ મળીજાય
....પવિત્ર પ્રેમને પકડજો જીવનમાં,જે અન્નદાન કરવાથી પ્રભુનો પ્રેમ મળી જાય.  
***************************************************************
June 12th 2021

અંજની લાલા

**hanuman jayanti 2 subh yoga and 7 subh muhurat-**

           .અંજની લાલા

તાઃ૧૨/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમથી શ્રીરામના વ્હાલા ભક્ત થયા,જે બજરંગબલી હનુમાન કહેવાય
માતા અંજનીના લાડલા દીકરા,એ પવનદેવના વ્હાલા સંતાનથીય ઓળખાય
...અજબશક્તિ થયા જે પ્રભુએલીધેલ શ્રીરામના દેહને આકાશમાં ઉડીને મદદ કરી જાય.
ભારતની ધરતીપર પરમાત્માએ અનેકદેહ લીધા,જે હિંદુ ધર્મને પવિત્રકરી જાય
અનેક દેવ અને દેવીઓની કૃપા થઈ હિંદુધર્મમાં,જે દેહથી જન્મલઈ આવીજાય
શ્રધ્ધા ભાવનાથી પુંજન કરતા પવિત્રકૃપા મળે,એ જીવનદેહનુ કલ્યાણ કરીજાય
એવા જ પરમકૃપાળુ અને શક્તિશાળી,પવનપુત્ર હનુમાન શ્રી રામભક્ત કહેવાય
...અજબશક્તિ થયા જે પ્રભુએલીધેલ શ્રીરામના દેહને આકાશમાં ઉડીને મદદ કરી જાય.
પરમાત્મા એ લીધેલ દેહ શ્રી રામનો ભારતમાં,જે સમયની સાંકળમાં લટકી જાય
ભાઈ લક્ષ્મણ બેહોશ થયા ધરતીપર,જ્યાં હનુમાનજી ઉડીને સંજીવની લાવીજાય
શ્રી રામના પત્નિને શોધવા હનુમાન ઉડીને જઈ,સીતાજીને શોધીને બતાવી જાય
રામલક્ષ્મણને ઉડીને લંકા લઈગયા,જ્યાં રાજારાવણને મારીને લંકાનુ દહનકરીજાય
...અજબશક્તિ થયા જે પ્રભુએલીધેલ શ્રીરામના દેહને આકાશમાં ઉડીને મદદ કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

June 12th 2021

કળીયુગની કાતર

##પૃથ્વી - વિકિપીડિયા##

.         .કળીયુગની કાતર

તાઃ૧૨/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર મળેલદેહને સમયસાથે ચાલવુ પડે,નાકોઇજ જીવથી છટકાય
કુદરતની આ લીલા જગતપર,જ્યાં જીવના દેહને શ્રધ્ધાથી વંદન કરાય
....શ્રધ્ધાથી કરેલ ભક્તિ માનવદેહને જીવનમાં,કળીયુગની કાતરથી બચાવી જાય.
અવનીપરના જીવના દેહને સમયની સાથે ચાલતા,પ્રભુની કૃપાથી બચાય
જગતપર મળેલદેહ ના કોઇની તાકાત છે,જે સમયની અસરથી છટકાય
પરમકૃપાનો સાગરવહે ધરતીપર,જ્યાં શ્રધ્ધાભાવનાથી ઘરમાં પુંજા કરાય 
પવિત્ર શાંંતિ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્રકૃપાએજ મળતી જાય
....શ્રધ્ધાથી કરેલ ભક્તિ માનવદેહને જીવનમાં,કળીયુગની કાતરથી બચાવી જાય.
જીવને મળેદેહ એગતજન્મના થયેલકર્મ,એ જીવને આવનજાવન દઈ જાય
માનવદેહ એ કૃપાપ્રભુની,જે જીવને પશુપક્ષીપ્રાણીના દેહથી બચાવી જાય
મનુષ્યદેહને સમયની સાથે ચાલતા,મળેલદેહને ઉંમરથી સમય પસાર થાય
જે દેહને કળીયુગની કાતરથી બચાવે,એપ્રભુકૃપાએ મળેલજન્મ પવિત્ર થાય
....શ્રધ્ધાથી કરેલ ભક્તિ માનવદેહને જીવનમાં,કળીયુગની કાતરથી બચાવી જાય.
##################################################################


     

    

June 11th 2021

પ્રેમની પકડ મળી

 ##https://www.zee5.com/hi/videos/details/mumbai-shivaji-park-senior-citizen-valentine-day-celebrations/0-0-newsauto_26vku65qds30  https://akamaividz.zee5.com/resources/0-0-newsauto_26vku65qds30/list/270x152/00newsauto_26vku65qds30_li.jpg  ...##
.            .પ્રેમની પકડ મળી   

તાઃ૧૧/૬/૨૦૨૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકૃપાની રાહ મળે પરમાત્માએ લીધેલ દેહથી,જે જીવપર કૃપા કરી જાય
મળેલકૃપા એમાનવદેહને સમયની સમજણથી,એનાથી પ્રેમની પકડ મળીજાય
....દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય.
કળીયુગની આ લીલા જે દેખાવની રાહે લઈ જાય,જે મળેલદેહને ના સમજાય
જન્મો જન્મનો સંબંધ જીવને અવનીપર,અનેક દેહને માનવદેહથીજ બચાવાય
ના કોઇજ અપેક્ષા જીવને મળેલદેહની,કે ના મોહ માયા જીવનમાં અડી જાય
કુદરતની આ લીલા જગતપર જે નિખાલસ,ભાવનાને જીવનમાં રાખીને જીવાય
....દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય.
જીવને પાવનપ્રેરણા મળૅલ આશિર્વાદથી,જેથી નિર્મળ પ્રેમની પકડ મળી જાય
ના કોઇજ માગણીનો સ્પર્શ થાય,જે જીવનમાં પવિત્રરાહની પ્રેરણા આપી જાય
સમયનો સ્પર્શથાય જીવના મળેલદેહને,એ પ્રભુકૃપાએ જીવનમાં શાંંતિ દઈ જાય
પરમાત્માની કૃપા મળે સમયે જીવનમાં,જ્યાં ભક્તિ ભાવનાથી પ્રભુને વંદન થાય 
....દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

,

June 11th 2021

પરમકૃપાળુ મહાદેવ

.       .પરમકૃપાળુ મહાદેવ

તાઃ૧૧/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને શ્રીમહાદેવની પુંજા કરતા,પરમકૃપા ભક્તપર થાય
સંગેમાતા પાર્વતીનોય પ્રેમ મળે,જે પરિવારને સુખ આપી જાય
....હિંદુધર્મમાં અનેક પવિત્ર નામથી ઓળખાય,એ પવિત્રકૃપા કરી જાય.
પવિત્ર માતાપિતા હતા પવિત્રપુત્ર,ભાગ્યવિધાતા શ્રીગણેશ કહેવાય
ભારતની ધરતીને પવિત્રકરવા,ગંગાનદીને શંકરભગવાન વહાવીજાય
જન્મલીધો પવિત્ર નામથી,જે ભોલેનાથ,મહાદેવ,શંકરથી ઓળખાય
હિમાલયના પુત્રી પાર્વતી હતા,જે શંકર ભગવાનની પત્ની કહેવાય 
....હિંદુધર્મમાં અનેક પવિત્ર નામથી ઓળખાય,એ પવિત્રકૃપા કરી જાય.
અજબ પવિત્ર શક્તિશાળી દેહ લીધા,જે ૐ નમઃ શિવાયથી પુંજાય
સાથે બમ બમ ભોલે મહાદેવ,અને પાર્વતી પતિ મહાદેવથીય પુંજાય
પરિવારમા બીજા પુત્ર કાર્તિકેય જન્મ્યા,પુત્રી અશોકસુંદરી જન્મીજાય
ભારતમાં પરમાત્માએ પવિત્રદેહ લીધા,જે શ્રધ્ધાભક્તિથી પુંજા કરાય
....હિંદુધર્મમાં અનેક પવિત્ર નામથી ઓળખાય,એ પવિત્રકૃપા કરી જાય.
##########################################################

June 10th 2021

સમયની પવિત્ર સાંકળ

Vrat Katha - Kartavya Tv 
          .સમયની પવિત્ર સાંકળ 

તાઃ૧૦/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
અવનીપરના આગમનને સંબંધ દેહનો,જે મળેલ દેહને સમયસાથે લઈ જાય
અદભુતલીલા પરમાત્માની જગતપર,એ જીવનાદેહને અનેકકર્મથી સ્પર્શીજાય
.....એ પવિત્રકૃપા છે જન્મ મળેલ દેહપર,જે દેહને સમયની પવિત્ર સાંકળ મળી જાય.
કર્મનો સંબંધ ગતજન્મે મળેલદેહથી થયેલકર્મનો,એ દેહને અનુભવ આપી જાય
પાવનકૃપા મળે પરમાત્માના દેહની,જે સમયેજ ભારતમાં જન્મથી આવી જાય
અનેકદેહ લીધા છે અવનીપર જે અનેકનામથી,ભક્તોથી પુંજનકરી વંદન કરાય
શ્રધ્ધાથી કરેલ પુંજાથી જીવનેમળેલ દેહપર,પવિત્રકૃપાજ પરમાત્માની મળી જાય
.....એ પવિત્રકૃપા છે જન્મ મળેલ દેહપર,જે દેહને સમયની પવિત્ર સાંકળ મળી જાય.
જન્મ મળતા દેહને સમયની સાથે ચાલતા,જીવનમાં ઉંમર પ્રમાણે જીવનજીવાય
ભણતર સંગે કર્મને સમયનોસંબંધ,ભક્તિ પકડવા પવિત્રસંત સાંઈની પુંજા કરાય
માનવદેહને પાવનરાહઆપવા અવનીપર પધાર્યા,જેમને શ્રશ્શસબુરીથી વંદનથાય
આંગળી ચીંધી મળેલ માનવદેહને,નાદેહને ધર્મકર્મનો સાંકળ પકડીને દુર રહેવાય 
.....એ પવિત્રકૃપા છે જન્મ મળેલ દેહપર,જે દેહને સમયની પવિત્ર સાંકળ મળી જાય.
=====================================================================
« Previous PageNext Page »